ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેની કૃપા જાળવી રાખવા માટે ઘણા લોકો ખૂબ પરિશ્રમ કરે છે. મહેનત-મજૂરી કરે છે, કારણકે ઘરમાં સુખ-સમૃદ્ધી રહે અને ઘર ધન-ધાન્યથી ભરપૂર રહે.
ઘરમાં રૂપિયાની તંગીથી બચવા રાખો આ બાબતોનું ધ્યાન
ઘરમાં ક્યારેય નહીં આવે દરિદ્રતા
માં લક્ષ્મીની કૃપા સદાય તમારા પર રહેશે
પૈસાની લેવડ-દેવડ કરતી વખતે આ બાબતોનુ રાખો ધ્યાન
માં લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે અને તેને પ્રસન્ન કરવા માટે માં લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે, તેના ઘરમાં ક્યારેય દ્રરિદ્રતા આવતી નથી. પરંતુ માં લક્ષ્મી નારાજ થવાથી ઘરમાં દ્રરિદ્રતા છવાઈ જાય છે. ઘણી વખત મહેનત કર્યા બાદ પણ ઘરમાં રૂપિયાનો પ્રવાહ વધતો નથી અથવા પછી દરરોજ તમારા જીવનમાં કઈક એવુ થાય છે, જેના કારણે ઘરમાં રૂપિયા ટકતા નથી. જેના કોઈ મોટા કારણો નથી. દરરોજની નાની-નાની વસ્તુઓ માં લક્ષ્મીને નારાજ કરી દે છે. જો તમે પણ પૈસાની લેવડ-દેવડ કરતી વખતે આ બાબતોનુ ધ્યાન રાખશો તો માં લક્ષ્મીની કૃપા સદાય તમારા પર રહેશે અને તમે ખૂબ પ્રગતિ કરશો. આવો જાણીએ વાસ્તુના આ નિયમો અંગે.
રૂપિયા ગણતી વખતે રાખો આ વાતનું ધ્યાન
વાસ્તુ શાસ્ત્ર મુજબ પાકીટમાં નોટ અથવા પૈસા એકસાથે રાખવાની વસ્તુથી બચો. જેનાથી નાણાનુ અપમાન થાય છે.
કોઈ પણ ગરીબ અથવા જરૂરીયાતમંદ વ્યક્તિને રૂપિયા આપતી વખતે આ વાતનુ ધ્યાન રાખો કે પૈસા ક્યારેય પણ ફેંકીને ના આપશો. આવુ કરવાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે.
નોટ ગણતી વખતે વારંવાર લોકો થૂંક લગાવે છે, જે એક ભૂલ છે. આવુ કરવાથી માં લક્ષ્મીનો અનાદર થાય છે. પૈસા ગણતી સમયે તમે તેના પર પાણી અથવા પાઉડરનો ઉપયોગ કરી શકો છો.
પૈસા પોતાના પલંગ પર અથવા પછી સાઈડમાં રાખીને ના ઉંઘશો. આ માં લક્ષ્મીનું અપમાન થાય છે. પૈસાને હંમેશા કોઈ સ્વચ્છ જગ્યાએ તિજોરીમાં રાખો. આ સાથે પૈસાને હંમેશા ગોમતી ચક્ર અથવા પૈસાની સાથે રાખો.
માન્યતા છે કે નાણામાં માં લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જમીન પર પડેલા પૈસાને ઉઠાવ્યાં બાદ માથા પર આવશ્ય લગાવો. ત્યારબાદ પાકીટમાં રાખો.