વાસ્તુ અનુસાર બાળકોના સફળ કરિયર અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના રૂમમાં મુકવામાં આવતી દરેક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. યોગ્ય જગ્યા અને યોગ્ય દિશામાં મુકેલી વસ્તુઓ બાળકોનું ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કરે છે.
બાળકોના રૂમમાં કરો આ ફેરફાર
વાસ્તુનું ધ્યાન રાખવાથી થશે ફાયદો
બાળકનું અભ્યાસમાં લાગશે મન
ઘણા બાળકો એવા હોય છે જેમનું અભ્યાસમાં મન નથી લાગતુ અથવા તો ભણેવી વસ્તુઓ તે ભુલી જાય છે. જેનું મુખ્ય કારણ તેના રૂમનું ખોટુ વાસ્તુ છે. ઘણી વખત તેઓ સ્ટ્રેસમાં રહે છે. સખત મહેનત કરવા છતાં તેમને સફળતા મળતી નથી. આવી સ્થિતિમાં વાસ્તુના કેટલાક ઉપાયો બાળકોના કરિયર માટે કારગર સાબિત થઈ શકે છે.
બેડરૂમ
નવું ઘર બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બાળકોનો રૂમ ઉત્તર-પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશા બુદ્ધિ અને શક્તિ સાથે સંબંધિત છે. બાળકોની પથારી પણ આ દિશામાં રાખવી જોઈએ. તેનાથી તેમનામાં સકારાત્મક ઉર્જા આવે છે અને તેઓને પણ અભ્યાસ કરવાનું મન થાય છે.
લાઈટ રંગ
વાસ્તુ અનુસાર બાળકોના સ્ટડી રૂમમાં હંમેશા હળવો કલર લગાવવો જોઈએ. આછો પીળો, આછો ગુલાબી અથવા આછો લીલો રંગ તેમને લક્ષ્ય તરફ કેન્દ્રિત રાખે છે અને મનને તેજ બનાવે છે. ઘેરો રંગ બાળકોને ખલેલ પહોંચાડે છે અને વિચલિત કરે છે.
સ્ટડી ટેબલ
બાળકોના રૂમમાં સૌથી મહત્વની વસ્તુ છે તેમનું સ્ટડી ટેબલ. તેમની યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ટેબલને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો. જો શક્ય હોય તો, ચોરસ અથવા લંબચોરસ આકારમાં સ્ટડી ટેબલ ખરીદો. ટેબલનો રંગ બાળકોની એકાગ્રતા પર પણ અસર કરે છે. તેથી હળવા રંગના ટેબલ જ ખરીદો.
ગ્લોબ
વાસ્તુ અનુસાર બાળકોના રૂમમાં ગ્લોબ રાખવો શુભ માનવામાં આવે છે. ગ્લોબને રૂમમાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાથી બાળકોને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે અને સારા માર્કસ મેળવવામાં પણ મદદ મળે છે.
મીણબત્તી
એવું માનવામાં આવે છે કે બાળકોના રૂમમાં મીણબત્તીઓ સળગાવવાથી તેમનું ધ્યાન અભ્યાસ તરફ આકર્ષિત થાય છે. મીણબત્તીને રૂમના પૂર્વ, ઉત્તર-પૂર્વ અથવા દક્ષિણ ભાગમાં રાખો, તેનાથી તેમની બૌદ્ધિક ક્ષમતા વધે છે.