અમદાવાદમા વેલેન્ટાઈન ડે પહેલા જ પ્રેમની હત્યાનો કિસ્સો કૃષ્ણનગર વિસ્તારમાં સામે આવ્યો છે. ફરવા ગયેલા પ્રેમી પંખીડાની જાણ પ્રેમીકાના પરિવારને થતા યુવકને કેનાલમાં ફેંકી દીધો હતો.
પ્રેમ સબંધમાં કરાયું યુવકનું અપહરણ
વેલેન્ટાઈન દિવસ ઉજવે તે પહેલા અરમાનોનુ ખુન
પ્રેમિકાના પરિવારે પ્રેમીને ફેંક્યો કેનાલમાં
પ્રેમિકાના માતા-પિતા સહિત ચાર વ્યકિતની ધરપકડ
ફિલ્મોમાં જોવા મળતા અપહરણના દર્શ્યો ગાંધીનગર જીલ્લાના વેહલાલ ગામમાં જોવા મળ્યા છે. જ્યાં પ્રેમમાં ડુબેલા પ્રેમી પંખીડા વેલેન્ટાઈનના દિવસો ઉજવી રહ્યા હતા. ત્યારે પ્રેમિકાનો પરિવાર વિલન બનીને આવ્યો અને યુવકનુ જાહેરમાં અપહરણ કરીને લઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમા કેદ થઈ. વહેલાલ ગામમાં રહેતો 21 વર્ષીય જીગ્નેશસિંહ પરમારનુ તેના ગામમાં રહેતી એક સગીરા સાથે છેલ્લા છ માસથી પ્રેમ સંબંધ હતો. બન્ને પ્રેમી-પંખીડા બાઈક પર ફરવા નીકળ્યા હતા. ત્યારે સગીરાનો પરિવાર જોઈ જતા તેમને રસ્તામાં અટકાવ્યા. યુવકને બળજબરીથી ગાડીમાં ઉઠાવીને લઈ ગયા હતા. ત્યારબાદ યુવકને જીવતો નર્મદા કેનાલમા ફેંકી દીધો હતો. આ ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.
કૃષ્ણનગર પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ ચારેય આરોપીઓ એક જ પરિવારના સભ્યો છે. જેમાં સગીરાના પિતા છત્રસિંહ પરમાર, માતા વિભાબેન પરમાર, કાકા દિલીપસિંહ પરમાર અને પિતરાઈ ભાઈ અજીતસિંહની ધરપકડ પોલીસે કરી છે. આ ચારેય આરોપીઓએ જીગ્નેશસિંહનુ અપહરણ કરીને ફાગવેલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક ફેકી દીધો હતો. પરંતુ 48 કલાકથી પોલીસની ટીમ યુવકને શોધી રહી છે પરંતુ હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી.. જીગ્નેશસિહ અને આરોપીઓ એક જ સમાજના છે.. પરંતુ સમાજમા પોતાનો વગ દેખાડવા આરોપીએ એક નિર્દોષ યુવકની જીદંગી ખત્મ કરી દીધી..
કૃષ્ણનગર પોલીસે અપહરણ કેસમા સગીરાના માતા પિતા સહીત ચાર આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. જ્યારે બીજી તરફ પોલીસે પણ યુવકની ભાળ મેળવવા કેનાલમાં બેથી અઢી કિલોમીટર સુધી તપાસ કરી. પોલીસ માટે હવે યુવક અથવા તો યુવકની મૃતદેહને શોધવો રણમાં સોય શોધવા બરાબર છે. ત્યારે આ ઘટના પાછળ માત્ર પ્રેમ પ્રકરણ જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.