ભારતના મહાન સંતોમાંના એક રામાનુજાચાર્યની સહસ્ત્રાબ્દી વર્ષ એટલે કે 1 હજાર વર્ષ પુરા થાય છે. તેમની યાદમાં હૈદરાબાદના શ્રીરામનગર જીવા આશ્રમની પાસે 216 ફુટ ઉંચી પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી છે. આને સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીનું નામ આપવામાં આવ્યું છે. આનું નિર્માણ અષ્ટઘાતુના મિશ્રણથી કરાવવામાં આવ્યું છે.
મંદિરનો કુલ ખર્ચના 1 હજાર કરોડથી વધારે છે
હૈદરાબાદમાં રામાનુજાચાર્યના એક ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે
રામાનુજાચાર્યની સૌથી મોટી પ્રતિમાં ચીનમાં બની છે
હૈદરાબાદમાં રામાનુજાચાર્યના એક ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનો કુલ ખર્ચના 1 હજાર કરોડથી વધારે છે. રામાનુજાચાર્યની બીજી પ્રતિમા 120 કિલો સોનાની બની છે. જેને મંદિરના ભવ્ય ગર્ભગૃહમાં રાખામાં આવશે. રામાનુજાચાર્યની સૌથી મોટી પ્રતિમાં ચીનમાં બની છે. જેનો ખર્ચ 400 કરોડ છે. જે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સમાવિષ્ટ છે.
1 હજાર વર્ષ પહેલા રામાનુજાચાર્ય સ્વામીએ ભારતીય સમાજમાં પરિવર્તનની આંધી ચલાવી હતી. તે સમયે છુઆછુત અને જાતિ આધારીત બદીઓ, તેમજ એ પહેલા વ્યક્તિ હતા જેમણે પછાત લોકોને મંદિર પ્રવેશ કરાવ્યુ હતું. સનાતન પરંપરાના કોઈ પણ સંત માટે આટલું ભવ્ય અત્યાર સુધી બન્યુ નથી. રામાનુજાચાર્ય સ્વામી પહેલા સંત હશે જેમની આટલી મોટી પ્રતિમા સ્થાપિત થઈ છે.
હૈદરાબાદના લગભગ 40 કિમી દુર આવેલા રામનગરમાં બની રહેલા આ મંદિરની આ છે ખાસિયત
સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી અને રામાનુજાચાર્ય મંદિર 45 એકરમાં બની રહ્યુ છે. જેનું નિર્માણ 2014માંશરુ થયુ હતુ
મંદિરનું મુખ્ય ભવન લગભગ 1.5 લાખ સ્વેરફીટ વિસ્તારમાં બની રહ્યુ છે. જે 58 ફીટ ઉંચુ છે. જેના પર સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી રખાશે.
મંદિરમાં 25 કરોડના ખર્ચે ડાન્સિંગ ફુવારા લાગશે. જે સ્વામીની ગાથા કહેશે
મંદિરમાં દર્શનાર્થીઓને 5 ભાષામાં ઓડિયો ગાઈડ મળશે. અંગ્રેજી, હિંદી, તમિલ, તેલુગૂ સહિત એક બીજી ભાષા પણ હશે.
મંદિરમાં રામાનુજાચાર્યના સમગ્ર જીવનના ચિત્રો અને ઓડિયો બતાવાશે
દ. ભારતના સુપ્રસિદ્ધ 108 દિવ્ય દેશમની રેપ્લિકા પણ આ સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ચારે બાજુ બનાવવામાં આવી રહી છે.
સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ડિઝાઈન આર્કિટેક્ટ અને દ. ભારતીય ફિલ્મના ડાયરેક્ટ આનંદ સાઈએ તૈયાર કરી છે. તેણે કહ્યું આ માટે 2 વર્ષ લાગ્યા છે.
વૈષ્ણવ સંત રામાનુજાચાર્યનો જન્મ 1017 માં તમિલનાડુમાં થયો હતો. તે વિશિષ્ટાદ્વૈત વેદાંતના પ્રવર્તક હતા. કાંચીમાં તેમને આલવાર યમુનાચાર્યજી પાસેથી દિક્ષા લીધી હતી. સમગ્ર ભારતમાં ભ્રમણ કરી તેમણે વેદાંત અને વૈષ્ણવ ધર્મનું પ્રચાર કર્યો હતો.
રામાનુજાચાર્યએ વેદાંતા ઉપરાંત 7મી -10મી શતાબ્દીના રહસ્યવાદી અને ભક્તિમાર્ગી અલવાર સંતોથી ભક્તિના દર્શન, દક્ષિણના પંચરાત્ર પરમ્પરાને પાતના વિચારનો આધાર બનાવ્યો હતો.