સ્વામીનારાયણ ધર્મનું સર્વોચ્ચ તીર્થધામ એટલે વડતાલ છેલ્લા એક મહિનાથી પૂર્વ કોઠારીના વિવાદમાં હવે રહી રહીને તંત્ર પણ જાગૃત અવસ્થામાં આવી ગયું છે. બાળ સુરક્ષા વિભાગ કામે લાગ્યું છે અને આ અંગે તપાસ હાથ ધરી છે.
સ્વામિનારાયણ સંત સામે તપાસ હાથ ધરાઈ
વડતાલ મંદિરમાં શિષ્ય સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો હતો આરોપ
આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ
વડોદરાના કંડારી સ્વામીનારાયણ મંદિરના મુખ્ય સંચાલક અને વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ઘનશ્યામ સ્વામીના શિષ્ય સંત વેદાંત વલ્લભદાસજી દ્વારા થોડા સમય પહેલા પોતાના જ ગુરુ ઘનશ્યામ પ્રકાશ પર ગંભીર આક્ષેપ સાથે ૩૨ પેજની એક નોટ વાયરલ કરવામાં આવી હતી.
શું હતુ નોટમાં?
તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેના ગુરુ ધ્વરા છેલ્લા ૬ વર્ષમાં ૧૦૦ કરતા વધારે વખત બળજબરીથી શારીરિક સબંધો બાંધ્યાં હતા જોકે ત્યાર બાદ આક્ષેપ કરનાર સાધુ ધ્વરા કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી.
બાળ સુરક્ષા એકમ દ્વારા સ્વામિની તપાસ
આ મામલો સતત મીડિયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને બાદમાં ઘનશ્યામ સ્વામીના નાના બાળકોને રમાડતા ફોટો વાયરલ થયા હતા જેથી ખેડા જીલ્લાબાળ સુરક્ષા વિભાગ હરકતમાં આવી ગયું છે અને ખેડા જીલ્લા ચાઇલ્ડ વેલ્ફેર કમિટી ધ્વરા એક સુઓમોટો અરજી કરવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવતા ખેડા જીલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓએ વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી દ્વારા કોઈ બાળકો સાથે અઘટિત કૃત્ય કર્યું છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.