નડીઆદઃ વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિ અંગે ચાલી રહેલા વિવાદનો ચુકાદો આવી ચુક્યો છે. નડિયાદ સેશન્સ કોર્ટે આચાર્ય રાકેશ પ્રસાદની તરફેણમાં ચુકાદો આપ્યો છે. વર્ષ 2003થી ગાદીપતિના મામલે વિવાદ હતો. આચાર્ય અજેન્દ્રપ્રસાદે સમગ્ર મામલાને કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે આચાર્ય રાકેશ પ્રસાદજીની તરફેણમાં ચુકાદો આવ્યો છે. રાકેશ પ્રસાદ જ આચાર્ય પદ પર રહેશે.
નોંધનીય છે કે વડતાલ ગાદીપતિને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદીરની ગાદી પર આચાર્ય રાકેશપ્રસાદ અને અજેન્દ્રપ્રસાદ દાવો કરી રહ્યા હતા. બન્ને આચાર્ય ઉત્તરાધિકારી હોવાનો દાવો કર્યો હતો. આ કારણોસર બન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેનો આજે અંત આવી ચુક્યો છે. આજે કોર્ટ ચુકાદો આપી દીધો છે ત્યારે હવે રાકેશ પ્રસાદ જ સંભાળશે આચાર્ય પદ. મહત્વનું છે કે ત્યારે વડતાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
આચાર્યપદનો વિવાદ શું છે ?
પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદને પદભ્રષ્ટ કરાયા હતા. દક્ષિણ વિભાગની સત્સંગ મહાસભાએ પદભ્રષ્ટ કર્યા હતા. 2003માં ગાદી સ્થાનેથી પદભ્રષ્ટ કર્યા હતા. અજેન્દ્રપ્રસાદને આચાર્યપદેથી દૂર કરાયા હતા. દેશ વિભાગના લેખ પ્રમાણે પાર્ષદોને સંત દિક્ષા આપતા ન હતા. ચરણભેટ જમા કરાવતા ન હતા. વડતાલ સંપ્રદાયને નુકસાન થાય તેવું વર્તન કરતા હતા. સંપ્રદાયના નિયમ વિરૂદ્ધ ત્રીજી ગાદીની સ્થાપ્ના કરી હતી. શ્રીજી મહારાજના આદેશો પવિત્ર શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યુ હતું. બ્રહ્મચારી અને સાધુને દિક્ષા ન આપવી. ગૃહસ્થ હરિભક્તોને ગુરૂમંત્ર ન આપવો. નૂતન મંદિરમાં ભગવાનની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા ન કરવી. હરિભક્તોને ત્યાં પધરામણી ન આપવી. આવેલી ભેટ મંદિરમાં જમા કરાવવાના સ્થાને અંગત ઉપયોગમાં લેવી. 2003માં અજેન્દ્રપ્રસાદને પદભ્રષ્ટ કરાયા હતા. સર્વાનુમત્તે રાકેશપ્રસાદ મહારાજને આચાર્ય પદે આરૂઢ કર્યા હતા. જે અંગેનો દાવો નડિયાદ જ્યુડિશીયલ કોર્ટમાં કરાયો હતો. 6 મહિનાથી `પર ડે' કાર્યવાહી ચાલી રહી હતી. જેનો આજે ચુકાદો આવી શકે છે.