વડોદરા મહાનગર સેવાસદનના વહીવટી તંત્રના અધિકારીઓ દુ:ખે માથું અને ફૂટે પેટ તેવા ઘાટ ઘડતા હોય છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં માતૃછાયા સોસાયટી આવેલ ડ્રેનેજ લાઈનમાં મુશ્કેલી થઇ છે.
વડોદરા મહાનગર સેવાસદનના વહીવટી તંત્રના અધિકારીઓ દુ:ખે માથું અને ફૂટે પેટ તેવા ઘાટ ઘડતા હોય છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં માતૃછાયા સોસાયટી આવેલ ડ્રેનેજ લાઈનમાં મુશ્કેલી થઇ છે. પરંતુ ફોલ્ટ ન મળતા પીવાના પાણીની લાઈનો પણ ખોદીને તોડી પાડવામાં આવી છે.
આથી સ્થાનિકો છેલ્લા 15 દિવસથી પીવાના પાણીને લઇને ઘણી તકલીફ વેઠી રહ્યાં છે. મેયર ડોક્ટર જિગીષાબેન શેઠ મુલાકાત કરીને પણ ચાર-પાંચ દિવસ થઇ ગયા હોવા છતાં પણ કામગીરી ફરી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
સત્તાધારીઓ વિરોધ ભારે સુત્રચારો અને માટલા ફોડી વિરોધ કરવામાં આવ્યો હતો. વહેલી તકે જો કામગીરી પુરી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.