FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું ખૂલ્યું, ઓએસીસ સંસ્થા સામે ધૂમી શંકાની સોય, ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો
FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ
પોસ્ટમોર્ટમમાં શરીર ઉપર ઈજાના નિશાન મળ્યા હતા
ઓએસીસ સંસ્થા સામે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો
વડોદરાના ચકચારી એવા દુષ્કર્મ કાંડ અને નવસારીની યુવતીની વલસાડમાં ટ્રેનમાં મળેલી લાશના રહસ્યોના પરદા હજુ ઉઠતા નથી ત્યાં, ઓએસીસ સંસ્થા પણ વિવાદના વમળમાં ફસાઈ છે. યુવતીએ ઓએસીસનાં વડા સંજીવ શાહને અંતિમ ફોન કરી બચાવી લેવા આજીજી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ સંસ્થાના માલિક અને કર્મચારીઑની પૂછપરછ બાદ આ કેસમાં ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. આખરે હવે ઓએસીસ સંસ્થા સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. પ્રીતિ નાયક,વૈશ્ણવી ટાપરિયા,સંજીવ શાહ સામે ગુનો નોંધી તપાસમાં યોગ્ય પુરાવા મળશે તો સંસ્થાનું લાયસન્સ રદ સુધીની કાર્યવાહી થશે તેવો ક્રાઇમ બ્રાંચે સંકજો કસ્યો છે.
અંતે કેસ સંજીવ શાહ સુધી પહોંચ્યો !
પ્રેરણા સંજીવ શાહની ઓએસીસ સંસ્થામાં કામ કરતી હતી અને તેથી જ પ્રેરણાએ આત્મહત્યા કરતા પહેલા છેલ્લો મેસેજ સંજીવ શાહને કર્યો હતો. પણ સંજીવ શાહે ઘટનાની જાણ હોવા છતા કોઇને જાણ કરી ન હતી. સંજીવ શાહ અને તેના મળતિયા પોલીસને અત્યાર સુધી ગેરમાર્ગે દોરતા હતા.યુવતીના મોત પહેલા ડાયરીમાં ઘટનાનો ઉલ્લેખ હતો પણ અંતિમ ઘડી ડાયરીનું અડધું પાનું મોત વખતે તૂટેલું હતું. આ દિશામાં ક્રાઇમ બ્રાંચ અને SIT તપાસ કરતી હતી જેમાં અંતે પોલીસને સંજીવ શાહ અને સંસ્થાના હોદ્દેદારો પર શંકા ગઇ હતી. ક્રાઇમ બ્રાંચે સંજીવ શાહ અને બીજા બે સંચાલકો સામે કેસ દાખલ કરી કેસમાં કાર્યવાહી તો કરી છે પણ હજુ સુધી 1 મહિનાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં પ્રેરણા કેસના ગુનેગારો પકડાયા નથી તે મોટો સવાલ છે.
પ્રેરણાં ઓએસીસ સંસ્થામાં 2 વર્ષથી પુસ્તક પ્રકાશક વિભાગમાં સ્ટોર મેનેજમેન્ટનું કામ કરતી હતી. પણ ઘટનાનો ભેદ ઉકેલવામાં ઓએસીસ સંસ્થાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ યુવતીએ સંસ્થાના ટ્રસ્ટીઓ અને કર્મીઓને દુષ્કર્મનીજાણ કરી હતી. સંસ્થાએ સમયસર પોલીસને જાણ કરી હોત તો યુવતી નો જીવ બચી શકત આથી સંચાલકો સામે આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે.
FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ
વડોદરામાં પ્રેરણા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે જેમાં યુવતી ઉપર દુષ્કર્મ ન થયું હોવાનું FSL રિપોર્ટમાં તારણ સામે આવ્યું આજે ગાંધીનગર FSL દ્વારા રેલવે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે મહત્વનું છે કે સાંયોગિક મેડિકલ પુરાવા, ઓરલ પુરાવાના આધારે પોલીસે ગેંગરેપનો કેસ દાખ કર્યો છે. મહત્વનું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીના શરીર ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, એટલું જ નહીં મૃતક યુવતીએ પોતાની ડાયરીમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની પણ નોંધ કરી હતી. ત્યારે હવે FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ સામે આવ્યું છે.
મારી દીકરી આપઘાત ન કરી શકે: યુવતીની માતા
વડોદરામાં 'પ્રેરણા' સાથે સામૂહિક દુષ્કર્મ મામલે હજુ પણ પોલીસના હાથ ખાલી છે. ઘટનાના એક મહિના કરતા વધુ સમ થઈ ગયો હોવા છતા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. 'પ્રેરણા'ની હત્યા થઈ હોવાના એંગલ પર નક્કર તપાસ થઇ રહી નથી. દુષ્કર્મની ઘટના બાદ ટ્રેનમાંથી 'પ્રેરણા'નો મૃતદેહ મળ્યો હતો અને તેનો વીડિયો સામે આવ્યો હતો. 'પ્રેરણા'ના વીડિયો પરથી હત્યા થઇ હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. યુવતીની માતાએ પણ માતાએ કહ્યું કે, કોઈ નાનો છોકરો પણ જોઈ કહી દેશે કે આ આપઘાત નથી. હું અંતિમ શ્વાસ સુધી આપઘાતની થિયરી નહી સ્વીકારુ. મારી દિકરી જીવન જીવવાની કલાની પુસ્તકો વાંચતી હતી. મારી દિકરી કદી આપઘાત ન કરી શકે. મારી દિકરીની હત્યા કરીને તેને લટકાવવામાં આવી છે. પોલીસ જીણવટ ભરી તપાસ કરીને ન્યાય આપે. વલસાડ પોલીસ માત્ર આપઘાતની દિશામાં હાથપગ મારી રહી છે. સમગ્ર કેસમાં હજુ પણ પોલીસ કોઇ નિષ્કર્ષ પર પહોંચી નથી.