એવું કહેવાય છે કે ચમત્કાર વગર નમસ્કાર નહીં. થોડા સમય અગાઉ વડોદરા ભાજપના ત્રણ ધારાસભ્યોએ રાજ્યના મોવડી મંડળને લઇને સરકાર સામે નારાજગી દર્શાવી હતી. જો કે હવે આ નારાજગીને લઇને તેનો ફાયદો પણ મળી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે થોડા સમય અગાઉ સરકાર સામે બાયો ચડાવી હતી. મધુ શ્રીવાસ્તવે સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં તળાવમાં મૂર્તિ મુકવાના મામાલે મંજૂરી ન મળતા નારાજગી દર્શાવી હતી. જો કે ત્યારબાદ VMC દ્વારા મૂર્તિ મુકવા માટે મંજૂરી આપી દેવામાં આવી હતી.
જો કે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય પર વડોદરા પાલિકા મહેરબાન જોવા મળી રહી છે. ભાજપના આ ધારાસભ્યને તંત્ર વિના મૂલ્યો હોલ આપશે.
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ફિલ્મનું બે દિવસ રિહર્સલ કરવા પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ મફતમાં આપશે. આમ હોલનું રૂપિયા 40 હજારનું ભાડુ નગરપાલિકા ધારાસભ્ય પાસેથી વસૂલશે નહીં.
આ અંગેની દરખાસ્ત વડોદરા નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિમાં પાસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાલિકાના દ્વારા કોઇને પણ મફતમાં હોલ વાપરવામાં આપવામાં આવ્યો નથી.