વડોદરામાં જર્જરીત શાળા મામલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. શિક્ષણ સમિતિએ જગદીશચંદ્ર બોઝ પ્રાથમિક શાળાની બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
મહત્વનું છે કે આ શાળા 1876માં સ્થાપવામાં આવી હતી અને તેની બિલ્ડિંગ જર્જરીત હાલતમાં હોવાથી બ્લિડિંગને ખાલી કરવા માટે તંત્રએ નોટિસ આપી છે. તો સત્ર ચાલુ થઈ ગયા પછી નોટિસ મળતાં શાળા ક્યાં ખસેડવી તે અંગે સવાલ ઉભો થયો છે.
શાળામાં ધોરણ 1થી ધોરણ 7 સુધી 96 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, એક મહિના પૂર્વે સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લગતા 22 વિધાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ તંત્રએ પોતાની કાર્યવાહી શરૂ કરી હતી, જો કે હજુ બે દિવસ પહેલા સુરતમાં ફરી આગ લાગતા હવે તંત્ર હરકતમાં આવ્યું છે.