વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા 38મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પોલીસ દ્વારા રથયાત્રાને લઈ તમામ બંદોબસ્તની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
યાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. યાત્રા પહેલા જ પોલીસ અને અર્ધ લશ્કરી દળો દ્વારા સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું.
વડોદરા પોલીસે રથયાત્રાને પગલે લોખંડી બંદોબસ્ત તૈયાર કર્યો છે. પાકીટમારોને પકડવા ખાસ 100 પોલીસના જવાનોની ટીમ બનાવી છે તો 75થી વધુ સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવાની પણ પોલીસે તૈયારી કરી છે.
પોલીસ દ્વારા એક જેસીપી, પાંચ ડીસીપી, બાર એસીપી, 40 પીઆઈ, 144 પીએસઆઈ અને 2090 અન્ય પોલીસ કર્મીઓને ખડેપગે રાખવામાં આવશે. આ ઉપરાંત 594 હોમગાર્ડ, 5 SRP કંપની, એક RAF કંપની અને એક CRPF કંપની તૈનાત કરવામાં આવશે.