રસી માટે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ સંશોધન હવે પશુ પરીક્ષણોના સ્તરે પહોંચી ગયું છે. આ પરીક્ષણ એક કે બે અઠવાડિયામાં શરૂ થશે. આની સફળતા પછી, તેનું પરીક્ષણ માણસો પર કરવામાં આવશે. દેશના સાતથી આઠ વૈજ્ઞાનિકોના જૂથો રસી સંશોધન માટે અગ્રેસર છે. અડધો ડઝન શૈક્ષણિક સંસ્થાઓના વૈજ્ઞાનિકો પણ રસી અધ્યયનમાં લાગેલા છે.
ઈન્ડો-યુએસ રસી કાર્યક્રમનો પણ ફાયદો
ઓક્સફોર્ડમાં વાંદરાઓ પર સફળતા, હવે 6 હજાર હ્યુમન ટ્રાયલ થશે
રસી પૂણેના સીરમમાં જ બનાવવામાં આવશે
ભારતીય વૈજ્ઞાનિકોઓને સંપૂર્ણ સફળતા માટે 12 થી 18 મહિનાનો સમય લાગી શકે છે. વૈશ્વિક વૈજ્ઞાનિકોની 75 ટીમો રસીમાં લાગેલી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈપણ દેશમાં બનાવવામાં આવતી રસી ભારતમાં બનાવવામાં આવશે. મળતી માહિતી મુજબ ભારત બાયોટેક, કેડિલા, સીરમ ઇન્સ્ટિટ્યૂટ સહિતની કેટલીક કંપનીઓના વૈજ્ઞાનિકો પ્રાણીઓ પરના ટ્રાયલ સુધી પહોંચ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર દેશમાં શરૂ થયેલા સંશોધન પર બાયોટેકનોલોજી વિભાગના સચિવ, ડૉ. રેણુ સ્વરૂપની દેખરેખ થઈ રહ્યા છે. વાયરસના સંવર્ધન બાબતે કેન્દ્ર સરકારના મંત્રાલય અનુસાર, ભારતમાં કોરોના વિશેના અભ્યાસ શરૂ થઈ ગયા છે. શરીરમાં પ્રવેશ્યા પછી વાયરસ ઝડપથી અન્ય વાયરસ ઉત્પન્ન કરે છે અને અનેક ગણા ફેલાયા છે.
આ ગ્રુપની રચના બે વર્ષ પહેલાં થઈ હતી
એક વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, લગભગ બે વર્ષ પહેલાં, વિશ્વભરના ઓદ્યોગિક અને શૈક્ષણિક વૈજ્ઞાનિકોનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, જેમાં ભારતનો પણ ભાગ છે. આ રીતે મહામારી સમયે ઉપયોગમાં લેવાતી રસી માટેની તૈયારીઓ પર પણ કામ ચાલી રહ્યુ હતું.
ઈન્ડો-યુએસ રસી કાર્યક્રમનો પણ ફાયદો
ભારત-અમેરિકન વૈજ્ઞાનિકો વચ્ચે સંશોધન પર સહકાર લગભગ 30 વર્ષોથી ચાલુ છે. ભારતે તાજેતરમાં યુ.એસ. માટે હાઈડ્રોક્સિક્લોરોક્વિન (એચસીક્યુ) ઉપલબ્ધ કરાવી હતી.
આઈઆઈટી ગુવાહાટીએ રસી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા
આઈઆઈટી ગુવાહાટીએ અમદાવાદ સ્થિત બાયોસાયન્સ કંપની હેસ્ટર સાથે કોરોના રસી માટે કરાર કર્યા છે. પ્રાણીઓ પર તેની ટ્રાયલ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. રસી માટે રીકોમ્બિનેન્ટ એવિયન પેરામાઈક્સોવાયરસ -1 ઉપયોગમાં લેવાશે. જેમાં સાર્સ-કોવિડ -2 નું પ્રોટીન છે. બાયોસાયન્સ અને બાયોએન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના એસોસિયેટ પ્રોફેસર સચિન કુમારે કહ્યું કે આ રસી બાબતે કંઈપણ કહેવું બહુ વહેલું છે. પ્રાણીઓ પર તેના પરીક્ષણના પરિણામો પછી જ કંઈ પણ કહી શકાય.
ઓક્સફોર્ડમાં વાંદરાઓ પર સફળતા, હવે 6 હજાર હ્યુમન ટ્રાયલ થશે
બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની જેનર ઈન્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વાંદરાઓ પર રસીનું ક્લિનિકલ ટ્રાયલ સફળ રહ્યું છે. હવે, મેના અંત સુધીમાં, તેઓ છ હજાર હ્યુમન ટ્રાયલ કરશે. ત્યારબાદ નિયામકોની તાત્કાલિક મંજૂરી પછી આ રસી સપ્ટેમ્બર સુધીમાં બજારમાં મુકાશે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ માર્ચમાં મોન્ટાનામાં નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટની રોકી માઉન્ટન લેબ ખાતે છ મકાક વાંદરાઓ પર રસીનું પરીક્ષણ કર્યુ હતું. વાંદરાઓની આ પ્રજાતિ માનવીની સૌથી નજીક માનવામાં આવે છે.
વાંદરો 28 દિવસ પછી પણ સ્વસ્થ જોવા મળ્યા
ડૉ. વિન્સેન્ટ મુન્સ્ટવરે જણાવ્યુ કે, 28 દિવસ પછી આ રસી સાથે છ વાંદરા સ્વસ્થ જોવા મળ્યા હતા, જ્યારે અન્ય વાંદરાઓ બીમાર બન્યા હતા. જો કે, કેટલાક નિષ્ણાતો કહે છે કે વાંદરાઓમાં એન્ટિબોડીઝ બનવાનો મતલબ માણસોમાં પણ તેવુ જ પરિણામ મળે તેની ખાતરી નથી. પરંતુ પરિણામોએ ટ્રાયલને આગલા તબક્કામાં લઈ જવાનો ઉત્સાહ ચોક્કસપણે વધાર્યો.
પૂણાની ઈન્સ્ટિટ્યૂટ પણ સંશોધન લાગેલી છે
ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ આ સંશોધનમાં લાગેલી છે. સીરમ વિશ્વની સૌથી મોટી રસી સપ્લાયર છે. રસી સીરમમાં જ બનાવવામાં આવશે.