બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બિઝનેસ / Budget / V Anantha Nageswaran appointed as cheif economic advisor of india

BIG NEWS / બજેટ અગાઉ મોદી સરકારનો મોટો નિર્ણય, અમદાવાદમાં ભણેલા અનંત નાગેશ્વરન મુખ્ય આર્થિક સલાહકાર પદે નિયુક્ત

Mayur

Last Updated: 07:18 PM, 28 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારના નાણામંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે IIM Ahmedabad માંથી ભણેલા V Anantha Nageswaran ની નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

  • ડૉ. વી. અનંત નાગેશ્વરનની મુખ્ય આર્થિક સલાહકાર પદે નિયુક્તિ 
  • લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે જાણીતા 
  • IIM Ahmedabad માંથી ભણ્યા 

મોદી સરકારે ડૉ. વી. અનંત નાગેશ્વરનને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે અને આજે તેમણે પદ સંભાળ્યું છે. નાણામંત્રાલયે આ જાણકારી આપી હતી. 

લેખક, શિક્ષક અને સલાહકાર

આ નિમણૂક પહેલા, ડૉ. નાગેશ્વરન લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે ભારત અને સિંગાપોરની ઘણી બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં શિક્ષણકાર્ય ઉપરાંત લેખન પણ વ્યાપક રીતે કર્યું છે અને પોતાની એક્સપરર્ટઈઝ સાબિત કરી ચૂક્યા છે. 

વી. અનંત નાગેશ્વરન IFMR ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસના ડીન અને બીજી ઘણી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિશિષ્ટ વિઝિટિંગ પ્રોફેસર રહી ચૂક્યા છે. 

IIM Ahmedabad માંથી ભણ્યા 

તેઓ 2019 થી 2021 સુધી ભારતના વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ટેમ્પરરી સભ્ય પણ રહ્યા છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે.

બજેટ અગાઉ મોટી જાહેરાત 


વી. અનંત નાગેશ્વરનને એવા સમયે મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા છે જ્યારે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી 2022થી શરૂ થઈ રહ્યું છે. અને એના પહેલા જ દિવસે, આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે, જે તૈયાર કરવાની જવાબદારી મુખ્ય આર્થિક સલાહકારની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ