મકરસંક્રાંતિએ સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે. સૂર્ય ધનથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષ માન્યતા પ્રમાણે, કુંડળીમાં સૂર્યની શુભ-અશુભ સ્થિતિના કારણે જ માન-સન્માન અને અપમાન મળે છે. મકરસંક્રાંતિએ સૂર્યપૂજાની ખાસ રીત છે. એ જાણી જશો તો માલામાલ થઈ જશો.
ઉતરાયણમાં દાનનું છે અનેરૂ મહત્વ
કુંડળીમાં સૂર્ય નબળો હોય તો શું કરશો?
સૂર્યપૂજાની ખાસ વિધિ
મકરસંક્રાંતિએ સવારે જલ્દી જાગીને સ્નાન વગેરે કર્યા બાદ ઉગતા સૂર્યને તાંબાના લોટાથી અર્ધ્ય આપો. પાણીમાં કંકુ અને લાલ રંગના ફૂલ રાખો. જળ ચઢાવતી સમયે ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતાં રહેવું જોઇએ.
ઉતરાયણમાં દાનનું છે અનેરૂ મહત્વ
મકરસંક્રાંતિએ દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ધર્મ શાસ્ત્રો પ્રમાણે આ દિવસે કરેલાં દાનનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ધાબળો, ગરમ વસ્ત્ર, ઘી, દાળ-ચોખાની ખીચડી વગેરેનું દાન કરો. ગરીબોને ભોજન કરાવશો તો વધારે શુભ રહેશે.
કુંડળીમાં સૂર્ય નબળો હોય તો શું કરશો?
જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ શુભ નથી, તેમણે મકર સંક્રાંતિએ સૂર્ય પ્રતિમા અથવા સૂર્ય યંત્રની સ્થાપના કરી પૂજા કરવી જોઇએ. સૂર્યના દોષ ઓછો થઇ શકે છે. સૂર્ય પ્રતિમા અને યંત્રની સ્થાપના માટે સંક્રાંતિએ સવારે જાગવું અને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને પ્રણામ કરો, અર્ધ્ય અર્પણ કરો.
સૂર્યપૂજાની ખાસ વિધિ
સૂર્ય પ્રતિમા ઉપર ગંગાજળ અને ગાયનું દૂધ ચઢાવો. મૂર્તિનું વિધિપૂર્વક પૂજન કરો. પૂજામાં ફૂલ, ચોખા, કંકુ સહિત અન્ય પૂજા સામગ્રી ચઢાવો. પૂજામાં જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઇએ. મંત્ર - ૐ ધૃણિ સૂર્યાય નમઃ નો જાપ કરતાં રહો. મંત્રજાપ ઓછામાં ઓછો 108 વાર કરો. જાપ બાદ આ મૂર્તિ અને યંત્રની સ્થાપના ઘરના મંદિરમાં કરો. ત્યાર બાદ રોજ આ સૂર્યમંત્રની પૂજા કરવી જોઇએ.
સંક્રાંતિએ સૂર્યપૂજા બાદ ૐ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહિ તન્નઃ સૂર્યઃ પ્રચોદયાત્ નો જાપ ઓછામાં ઓછો 5 માળા સુધી જાપ કરો. મંત્ર જાપથી માનસિક તણાવ દૂર થાય છે, મન શાંત થાય છે અને વિચારોમાં પોઝિટિવિટી વધે છે.