ઉત્તરાયણ / સોસાયટીના ચેરમેનોનો માથાનો દુઃખાવો વધ્યો, આ રીતે ધાબા પર પતંગ ચગાવવા માટે કરી રહ્યાં છે પ્લાનિંગ

uttarayan festival public kite notification gujarat government

ઉત્તરાયણને હવે થોડા દિવસો બાકી છે ત્યારે ગુજરાત સરકારે આ તહેવારને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં મકાન-ફ્લેટ કે પછી સોસાયટીના મેદાનમાં કે ધાબા પર સ્થાનિક રહીશો સિવાય અન્ય કોઇપણ વ્યક્તિ કે મહેમાનને પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરાયો છે. જો આ નિયમનો ભંગ થશે તો તેના માટે સોસાયટીના પ્રમુખ કે અધિકૃત વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરાશે. તેવામાં હવે આ નિર્ણયને લઇને ગુજરાતના શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના ચેરમેનોનો માથાનો દુઃખાવો વધ્યો છે. તેથી હવે કેટલીક જગ્યાએ ઓડ-ઇવન પદ્ધતિથી ધાબા પર પતંગ ચગાવવા માટે પ્લાનિંગ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ