ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની તબિયત અચાનક બગડતાં તેમને દૂન મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મુખ્યમંત્રી રાવત કોરોના સંક્રમિત છે. તેમના ફેફસામાં સામાન્ય ઈન્ફેક્શન જોવા મળ્યું છે.
ઉત્તરાખંડના CM રાવતની તબિયત લથડી
કોરોના સંક્રમિત CM રાવતની તબિયત લથડી
CMને દૂન મેડિકલ કોલેજમાં કરાયા દાખલ
મળતી માહિતી અનુસાર શનિવારથી જ તેમને સામાન્ય તાવ હતો. 18 ડિસેમ્બરે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ હોમ આઈસોલેશનમાં હતા. પછી પત્ની અને દીકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
आज मैंने कोरोना टेस्ट करवाया था और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है और symptoms भी नहीं हैं।अतः डॉक्टर्स की सलाह पर मैं होम आइसोलेशन में रहूँगा। मेरा सभी से अनुरोध है, कि जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
મુખ્યમંત્રી રાવતે ટ્વિટ કરીને પોતાના કોરોના પોઝિટિવ હોવાની સૂચના આપી હતી. સીએમએ ટ્વિટ કર્યું હતું કે આજે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે અને કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. ડોક્ટરની સલાહ અનુસાર હું હોમ આઈસોલેશનમાં રહીશ. દરેકને અનુરોધ છે કે જે લોકો છેલ્લા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ જાતે જ આઈસોલેટ થઈને તપાસ કરાવે.
અન્ય તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં કોરોના દર્દીના સ્વસ્થ થવાની સંખ્યા જલ્દી વધવાની સાથે એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોના રિકવરી રેટ 90 ટકાથી વધારે છે. ભારતમાં કુલ 2.77 ટકા એક્ટિવ કેસ છે. ભારતમાં કોરોનાથી સાજા થયેલા દર્દીનો આંક 97 લાખ 40 હજારથી ઉપર છે.