પ્રધાનમંત્રી નરેદ્ર મોદી વારાણસીની મુલાકાતે છે. ત્યારે આજે તેઓએ મિરઝાપુરમાં એક જનસભાને સંબોધતા પહેલાં ભોજપુરી ભાષામાં સંબોધન કર્યુ હતું. જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. પીએમ મોદીએ જણાવ્યું કે કેટલાંક લોકો ખેડૂતોના નામે હાલ ઘડિયાળી આંસુ વહાવી રહ્યાં છે. પરુંત તેમના હિત માટે કંઈ કર્યુ નહીં.
40 વર્ષથી બાણસાગર સિંચાઈ પરિયોજના પડી રહી હતી. પરંતુ પાછળની સરકારે આ કામને પૂરૂ કરવા માટે કોઈ પ્રયાસ કર્યા નહીં.
બાણસાગર પરિયોજનાથી આ વિસ્તારમાં દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે. આ પરિયોજનાની તૈયારી 40 વર્ષ અગાઉ કરવામાં આવી હતી પરંતુ કામ શરૂ થતા થતા 20 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો.
એ બાદ આવેલી સરકારે આ યોજના પૂરી કરી નહીં. 2014માં જ્યારે અમારી સરકાર આવી ત્યારે લટકેલી પરિયોજનામાં આ યોજનાનું નામ પણ હતુ. બાદમાં બાણસાગર પરિયોજનાને પૂરી કરવા માટે સમગ્ર તાકાત લગાવી દીધી. જે લોકો આજકાલ ખેડૂતો માટે ઘડિયાળી આંસુ વહાવે છે તેમને પૂછવું જોઈએ કે આખરે કેમ તેમના શાસનકાળમાં દેશમાં ફેલાયેલી આ અધૂરી સિચાઈ પરિયોજના નજરે ન પડી.
લગભગ 300 કરોડના બજેટથી શરૂ થયેલી આ યોજના લગભગ 3500 કરોડ રૂપિયાના જંગી ખર્ચ બાદ પૂરી થઈ. અમારી સરકારે MSPને દોઢ ગણો કરવાનો વાયદો આપ્યો હતો અને તેને પૂરો કર્યો છે. જેનાથી ખેડૂતોને લાભ થશે. મિરઝાપુરમાં મેડિકલ કોલેજનું પણ શિલાન્યાસ પીએમ મોદીએ કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે આ કોલેજ બનવાથી આસપાસના જિલ્લાના લોકોને પણ ફાયદો થશે. છેલ્લાં બે વર્ષમાં 5 કરોડ લોકો ગરીબીથી બહાર નીકળ્યા છે. જેમાં કેદ્રની યોજનાઓનો પ્રભાવ છે. સાથો સાથ પીએમ મોદીએ વારાણસીને મિરઝાપુર સાથે જોડનારા પુલનું પણ લોકાર્પણ કર્યું.