ઉત્તરપ્રદેશમાં છેલ્લા 2 દિવસથી વાવઝોડાના કારણે 26 લોકોના મોત થયા છે. યૂપીમાં હજી પણ વાવાઝોડાનો કહેર યથાવત્ છે. 6 અને 7 જૂને અલગ અલગ વિસ્તારમાં વાવાઝોડું આવતા અનેક કાચા મકાનો તબાહ થયા હતા જેમા 26 લોકોના મોત થયા. જ્યારે 57 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
હાલમાં 57 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ભારે વરસાદ આવતા અનેક વિસ્તારમાં નુકસાન પણ થયુ છે. વાવાઝોડાની સૌથી વધુ અસર મૈનપુરીમાં જોવા મળી. મૈનપુરીમાં સૌથી વધુ 41 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
વાવાઝોડા બાદ સરકાર દ્વારા રાહતની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા કાસગંજ, મૈનપુરી, બદાયું, મુરાદાબાદમાં મંત્રીઓને રાહત કાર્યમાં જોડાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. સાથે જ સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને 4 લાખની સહાય પણ કરવામાં આવી છે.