ભારતની 2007ની ટી20 વર્લ્ડકપની જીતના મહત્વના સદસ્ય રૉબિન ઉથપ્પાએ જણાવ્યું કે તેમના જીવનના 2 વર્ષ તેમણે આત્મહત્યાના વિચારો કર્યા છે. ક્રિકેટ એકમાત્ર કારણ હતું કે તેમણે પોતાની જાતને આત્મહત્યા કરવાથી રોક્યા હતા. ભારત માટે 46 વન ડે અને 13 T-20 મૅચ રમી ચૂકેલા ઉથપ્પાને આ વર્ષે રાજસ્થાન રોયલ્સે 3 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા પરંતુ કોરોના મહામારીના કારણે IPL કેન્સલ કરવી પડી છે.
ડિપ્રેશનનો શિકાર હતા ઉથપ્પા
ક્રિકેટના કારણે આવ્યા તણાવથી બહાર
ઉથપ્પાએ એક લાઇવમાં કહ્યું કે, "મને યાદ છે 2009 થી 2011 વચ્ચે ડિપ્રેશનનો સામનો કરવો પડતો હતો. હું તે સમયે ક્રિકેટ વિષે વિચારી પણ શકતો નહતો. મારે રોજ આ વિચારોનો સામનો કરવો પડતો હતો. હું મારા પોતાના ફ્યુચર વિષે નહોતો વિચારી શકતો, ક્રિકેટે જ મને આ વિચારોમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી."
ઉથપ્પાએ કહ્યું કે, તે એ દિવસોમાં એવું જ વિચારતા હતા કે, દોડીને બાલ્કની પાસે જાય અને નીચે કૂદી જાય. બાદમાં ઉથપ્પાએ આ ઘટનાઓને ડાયરીમાં લખવાની શરૂઆત કરી અને એક માણસ તરીકે મારી જાતને સમજવાની પ્રક્રિયા શરૂ કરી.
એક સમય એવો હતો કે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં ભારતની મૅચ હતા પરંતુ તેમા તેમનુ સિલેક્શન નહોતુ થયું. તેમણે કહ્યું કે, તે ખૂબ જ મહેનત કરતા હતા પરંતુ તે રન નહોતા બનાવી શકતા. તે એવુ માનવા જ તૈયાર નહોતા કે તેમને કોઇ માનસિક બિમારી છે. બાદમાં 2014-15માં રણજી ટ્રોફીમાં ઉથપ્પાએ સૌથી વધારે રન બનાવ્યા હતા.
તેમણે ક્રિકેટને અલવિદા ન કહ્યું પરંતુ તેમના જીવનના તે સમયનો તેમણે નિડરતાથી સામનો કર્યો હતો. નકારાત્મક અનુભવોનો કોઇ જ મલાલ નથી કારણકે તે અનુભવોથી તેમણે ઘણુ શીખ્યા છે.