નવા નિયમ અનુસાર હવે રેલ્વેમાં મુસાફરી કરવું મોંઘુ બની શકે છે, રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઈઓએ જણાવ્યું છે કે એરપોર્ટ પર વસૂલવામાં આવતા યૂઝર ચાર્જની જેમ હવે કેટલાક રેલ્વે સ્ટેશનો પર પણ આ ચાર્જ વસૂલવામાં આવશે.
રેલ્વેએ આજે જાહેરાત કરી છે કે રેલ્વે સ્ટેશનોના 10-15 ટકા સ્ટેશનોમાં યૂઝર ચાર્જ લેવાશે. આ સાથે જાણકારી આપી છે કે 1050 સ્ટેશનોમાં યાત્રીઓના ફૂટફોલ વધારાશે. ફૂટફોલ વધવાથી સ્ટેશનોની ક્ષમતા વધશે અને તેનું પુનનિર્માણ શરૂ કરાશે. આ સ્ટેશનોમાં યાત્રીઓ પાસેથી ચાર્જ લેવાશે. દેશમાં ભારતીય રેલ્વેના લગભગ 7000 સ્ટેશન છે.
કેટલો હશે યૂઝર ચાર્જ
મળતી માહીતી અનુસાર યૂઝર ચાર્જ માટે રેલ્વે જલ્દી નોટિફિકેશન જાહેર કરશે. યૂઝર ચાર્જ કેટલો હશે તેની પર સવાલના જવાબમાં કહેવાયું છે કે એક નાની રકમ યૂઝર ચાર્જના રૂપમાં લેવાશે. રેલ્વેએ જાણકારી આપી છે કે મોટા રેલ્વે સ્ટેશનો અને ભીડવાળા વિસ્તારોમાં યૂઝર ચાર્જ વસૂલવામાં આવશે. યાત્રી ભાડા ટિકિટમાં આ ચાર્જ જોડીને રૂપિયા લેવાશે.
રેલ્વે બોર્ડના ચેરમેને કહ્યું કે માર્ચ 24 સુધી હાઈ ડેન્સિટી રૂટ્સ પર ડબલિંગ, ટ્રિપલિંગ અને ઈલેક્ટ્રિફિકેશનનું કામ પૂરું કરાશે. તેઓએ કહ્યું કે ગાંધીનગર અને હબીબગંજ સ્ટેશન ડિસેમ્બર 2020 સુધી રિડેવલપ થઈ જશે.
માર્કેટના આધારે નક્કી થશે પ્રાઈવેટ ટ્રેનનું ભાડુ
આ પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગ સીઈઓ અમિતાભ કાંત પણ સામેલ હતા. તેઓએ કહ્યું છે કે પ્રાઈવેટ ટ્રેનનું ભાડું માર્કેટના આધારે નક્કી કરાશે. પેસેન્જર્સને વેલ્યૂ એડેડ સર્વિસ પણ અપાશે. પ્રાઈવેટાઈઝેશનથી રેલ્વેને લગભગ 30 હજાર કરોડ રૂપિયાના પર્સનલ રોકાણની આશા છે.
પ્રાઈવેટ ટ્રેન આવ્યા બાદ નહીં બંધ થાય રેલ્વે
તેઓએ સ્પષ્ટ કર્યું છે કે અમે રેલ્વેનું ખાનગીકરણ નહીં કરીએ. ખાનગી કંપની રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશે. પ્રાઈવેટ બેંક આવ્યા બાદ એસબીઆઈ બંધ થઈ નથી. ઈન્ડિગો, વિસ્તારા આવ્યા બાદ એર ઈન્ડિયા બંધ થયું નથી. આ રીતે પ્રાઈવેટ ટ્રેન આવ્યા બાદ ભારતીય રેલ્વે બંધ નહીં થાય પરંતુ તેની ક્ષમતા અને પ્રતિસ્પર્ધા વધશે.