શરદી અને ઉધરસ સમયે બાળકોને બામ લગાવતા આ ધ્યાન રાખો કે તેનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરાય તે યોગ્ય છે.
બાળકોને શરદી થાય તો રાખો ધ્યાન
બામનો ઉપયોગ કરતા પહેલા જાણો આ વાતો
બાળકોને કેટલી વાર લગાવી શકાય છે બામ
માનવામાં આવે છે કે બાળકોની ઈમ્યુનિટી નબળી હોવાના કારણે તેમને વારેઘડી શરદી થાય છે. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના અનુસાર જન્મ બાદ પહેલા 2 વર્ષમાં બાળકને 8-10 વાર શરદી થાય છે. આ સમયે ખાસ કરીને પેરન્ટ્સ બામ લગાવવાનું યોગ્ય માને છે, પણ તેઓ ધ્યાન આપતા નથી કે બાળકો પર બામનો ઉપયોગ યોગ્ય છે કે નહીં.
શું બાળકો પર બામ લગાવવો જોઈએ
2 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના બાળકો પર બામનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ બાળકના શ્વસન માર્ગમાં મુશ્કેલી જન્માવે છે. આ સિવાય તેને વધારે મ્યૂકસ બનાવી શકે છે અને તેના કારણે નાક બંધ થઈ શકે છે. આ કારણે 2 વર્ષથી નાના બાળકને માટે શરદી સમયે બામનો ઉપયોગ યોગ્ય નથી.
બાળકોને શરદી થાય તો તે સમયે તમે બામને તેની છાતીના ભાગ પર, પીઠના ભાગ પર અને ગળાના ભાગ પર લગાવો છો. તમે માનો છો કે બામ બાળકને સૂંઘાડવાથી પણ આરામ મળે છે પણ બાળકો માટે તે સુરક્ષિત હોતું નથી.
બાળકો માટે બને છે અલગ બામ
કેટલીક કંપનીઓ બાળકો માટે ખાસ અલગ બામ બનાવે છે, તમે ડોક્ટરની સલાહ અનુસાર જ આ બામનો ઉપયોગ કરો તે યોગ્ય છે. આ વાત સામાન્યથી શિશુના શરીરને વઘારે મોશ્ચરાઈઝ કરે છે. તેનાથી છાતી, ગળું, પીઠ અને પગના તળિયાની માલિશ કરવાથી બાળકને આરામ મળે છે. આ સાથે જે બામમાં કપૂરનો ઉપયોગ ન કરાયો હોય તેવા બામનો બાળકને માટે ઉપયોગ ન કરો. તમે એવા બામનો ઉપયોગ કરી શકો છો જેમાં બાળક માટે સુરક્ષિત ગણાતી સામગ્રીઓનો ઉપયોગ કરાયો હોય.
આ વાતનું રાખો ધ્યાન
જો બામની એક્સપાયરી તારીખ નીકળી ચૂકી છે તો બાળકો જ નહીં પણ મોટાઓ માટે પણ તેનો ઉપયોગ કરવો નહીં.
બામને ક્યારેય ગરમ કરીને લગાવવો નહીં. તેનાથી શિશુની નાજુક ત્વચાને નુકસાન થાય છે.,
કોઈ ભાગ પર ઘા થયો હોય તો બામ ન લગાવો. તેને ફક્ત સ્કીન પર લગાવી શકાય છે.
બામને પહેલા બાળકના હાથ પર લગાવીને ચેક કરો કે તેનાથી તેને એલર્જી તો થતી નથી ને.
નાક, માથા અને આંખની પાસે બામ ન લગાવો. તેનાથી તેને આંખમાં બળતરા થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ વધી શકે છે.
બાળકની શરદીને દૂર કરવાના આ છે કેટલાક ઘરેલૂ નુસખા
2 લસણની કળી લો અને તેની સાથે એક સમચી અજમાને શેકી લો, આ બંને વસ્તુ ઠંડી થાય એટલે તેને એક કપડામાં બાંધીને તેની પોટલી બનાવી લો. તેનાથી બાળકની છાતી પર શેક કરો.
પા કપ સરસિયાનું તેલ લો અને તેને ગરમ કરો. તેમાં 2 લસણની કળી અને જીરાને કૂટીને નાંખો, તેલને ગરમ થવા દો. સામાન્ય સોનેરી થાય એટલે ગેસ બંધ કરો અને સામાન્ય ગરમ રહે ત્યારે તેનાથી બાળકની છાતી અને તળિયાની માલિશ કરો. તેને રાહત મળશે.