રાજ્યમાં કોરોના દર્દી પર પ્રથમ વખતે એન્ટી બોડી કોકટેલનો પ્રયોગ કરવામાં આવ્યો કોરોના દર્દીને કોકટેલ ઈન્જેક્શન આપવાથી ઓક્સિજન લેવલ વધે છે,
રાજ્યમાં કોરોના કેસ વકર્યા બાદ બીજી લહેર હવે શાંત થઈ છે પરતું હજુ પણ કોરોનાના એક્ટિવ કેસ છે અને જે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તે લોકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં કોરોના દર્દી પર પ્રથમ વખતે એન્ટી બોડી કોકટેલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વડોદરાની 54 વર્ષીય મહિલાને એન્ટીબોડી કોકટેલનું ઈન્જેક્શન અપાયું છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલા પર સફળ પ્રયોગ કરવામાં આવ્યો જેમાં કેટલેક અંશે સફળતા મળતી હોય તેવું લાગી રહ્યું છે.
શું છે એન્ટી બોડી ઈન્જેક્શનની કિંમત ?
તબીબો માને છે કે કોરોના દર્દીને કોકટેલ ઈન્જેક્શન આપવાથી ઓક્સિજન લેવલ વધે છે, જેથી સંક્રમિત વ્યક્તિમાં ઓક્સિનજન લેવલ ઘટે તો ઈન્જેક્શન આપવાથી દર્દીની તબીયમાં સુધારો લાવી શકાય છે. મહત્વનું છે કે હાલ બજારમાં માત્ર 14 જેટલા એન્ટીબોડી કોકટેલ ઈજેક્શન ઉપલબ્ધ છે, આમ જો વાત કરવામાં આવે તો બજારમાં એક એન્ટીબોડી કોકટેલ ઈજેક્શનની કિંમત 60 હજાર રૂપિયા માનવામાં આવી રહી છે.
શું હોય છે પ્લાઝમાનું મુખ્ય કામ ?
પ્લાઝમા આપણા લોહીમાં પણ અસ્તિત્વ ધરાવે છે. લોહીમાં જેમ રકતકણો, શ્વેતકણો અને પ્લેટેટસ હોય છે તેની સાથે પ્રવાહી સ્વરૂપે લોહીમાં પ્લાઝમા હોય છે.લોહીમાં 54.3 ટકા ભાગ પ્લાઝમાનો હોય છે..આ પ્લાઝમામાં 92 ટકા તો પાણી જ હોય છે. થોડો ભાગ એન્ટીબોડી અને પ્રોટીનનો હોય છે. પ્લાઝમાનું મુખ્ય કામ હોય છે આપણા શરીરમાં જે ભાગમાં જરૂર હોય ત્યાં એન્ટીબોડી કે પ્રોટીન પહોંચાડવાનું. શરીરમાંથી કાર્બન ડાયોકસાઈડ બહાર કાઢવામાં પણ પ્લાઝમાની જ મુખ્ય ભૂમિકા હોય છે. આ પ્લાઝમા થેરેપીનો પ્રયોગ તો 1920ની આસપાસ શરૂ થયો જયારે દુનિયામાં કોરોના જેવી જ મહામારી સ્પેનિશ ફલૂ સામે લડી રહી હતી. ત્યારે અમેરિકા અને યુરોપના દેશોમાં પ્લાઝમા થેરેપીના પ્રયોગો શરૂ થયા. ત્યાર બાદ દુનિયામાં વાયરસ સંબંધિત જેટલી મહામારી આવી તેમાં પ્લાઝમા થેરેપીનો પ્રયોગ થયો.
હવે પ્લાઝમા થેરેપીનો કોઈ વિકલ્પ ખરો ?
17 મેના રોજ રાત્રે ભારત સરકારની નેશનલ ટાસ્ક ફોર્સે ભલામણ કરી કે કોરોનાની ક્લિનિકલ મેનેજમેન્ટ ગાઈડલાઈનમાંથી પ્લાઝમા થેરેપીની હટાવી દેવામાં આવે પ્લાઝમા થેરેપીને પડતી મુકાઈ ત્યાજેનો અર્થ તે થતો હતો કે હવે ભારત સરકારની તે સલાહ નથી કે કોઈ પણ હોસ્પિટલમાં જયાં કોવિડ દર્દી હોય તેને પ્લાઝમા થેરેપી આપવામાં આવે. માટે લોકોના મનમાં તે સવાલ ઉદભવવો સ્વાભાવિક હતો કે જે પ્લાઝમા થેરેપીના અત્યાર સુધી ગુણગાન ગાવામાં આવતા હતા તે પ્લાઝમા થેરેપીને સરકારે આખરે પડતી કેમ મૂકી?
પ્લાઝમાં થેરાપીના વિકલ્પ રૂપે એન્ટીબોડી કોકટેલ
ત્યારે સવાલ થવા લાગ્યા કે પ્લાઝમા થેરેપીને સારવારમાંથી પડતી મૂકવી યોગ્ય છે કે નહીં ? હવે પ્લાઝમા થેરેપીનો વિકલ્પ શું છે ? જેનો જવાબ લેન્સેટના જ રિસર્ચ પેપરમાં રજૂ થયો છે. લેન્સેટના રિસર્ચ પેપરમાં પ્લાઝમા થેરેપીના વિકલ્પ તરીકે મોનોકલોનલ એન્ટીબોડી અને એન્ટીબોડી કોકટેલ રજૂ કરવામાં આવ્યા છે. તમને થતું હશે કે વળી આ કયા એન્ટીબોડી?
શુંં છે એન્ટી બોડી ?
આ એન્ટીબોડી પણ નવા નથી. મોનોકલોનલ એન્ટીબોડીનો કેટલીક વાયરલ બીમારીઓમાં પહેલા પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં પ્રયોગશાળામાં એન્ટીજન બનાવવામાં આવે છે.જેના બે ઈન્જેકશન દર્દીને આપવામાં આવે છે. જે કોરોના વાયરસના પ્રોટીન સ્પાઈકસને નબળા કરી નાખે છે. જેનાથી વાયરસનો લોડ ઓછો થઈ જાય છે અને મૃત્યુની સંભાવના ઘટી જાય છે. તેવી જ રીતે એન્ટીબોડી કોકટેલને પણ કોરોના સામે મોટું હથિયાર માનવામાં આવે છે.