અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું છે કે મુંબઇ આતંકી હુમલાની 10મી વરસી પર અમેરિકા આ મામલે ભારતની ન્યાય મેળવવાની ઇચ્છા સાથે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરી મુંબઇમાં આતંકવાદી હુમલાની 10મી વરસી પર અમેરિકા આ મામલે ભારતની જનતાની ન્યાય મેળવવાની ઇચ્છા સાથે ઉભો છે.
ટ્રમ્પે જણાવ્યું કે આ હુમલામાં છ અમેરિકન સહિત 166 નિર્દોષ લોકોના મોત નિપજ્યાં છે. આપણે આતંકીઓને ક્યારે પણ જીતવા કે જીતની નજીક આવવા દઇશું નહીં.
આ હુમલામાં પોતાના પતિ અને 13 વર્ષની બાળકીને ગુમાવનાર મહિલા કિઆ ચેરે ટ્વિટ કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો.
અમેરિકા ખાતેના ભારતીય દૂતાવાસમાં 26/11 મુંબઇ આતંકી હુમલામાં પીડિતની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમેરિકાના આતંકવાદ વિરોધી કાર્યક્રમના એક ઉચ્ચ અધિકારીએ પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબા તેમજ અન્ય આતંકવાદીઓને ન્યાયના અવકાશમાં લાવવાની માંગ કરી છે.
વિદેશ મંત્રાલયના આતંકવાદ નિરોધક સમન્વયકે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આપણે દરેક દેશોને જ્યારે ખાસ પાકિસ્તાનને જણાવીએ છીએ કે દોષીઓને સજા આપવામાં પોતાની જવાબદારી સંભાળે.
દરેક દેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આતંકી સંગઠનો અને તેના નેતાઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને પુરી કરે.
અમેરિકામાં ભારતીય રાજદૂતે હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલી આપી. આ કાર્યક્રમમાં માર્યા ગયેલા લોકોની યાદમાં બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.