કેન્દ્ર સરકારે ઘઉંની ખરીદીમાં રેકોર્ડ ઘટાડાને ધ્યાનમાં રાખીને 14 મેના રોજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 10 રાજ્યોને ઘઉંની ફાળવણીમાં લગભગ 40 ટકાનો ઘટાડો કર્યો હતો
મોદી સરકારના નિર્ણય સામે UP-MP અને ગુજરાત સરકારને વાંધો
રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને NFSA હેઠળ ઘઉંનો પુરવઠો પુનઃસ્થાપિત કરવા કહ્યું
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં લોકો ચોખા કરતાં ઘઉં વધુ પસંદ: ખાદ્ય મંત્રી નરેશ પટેલ
ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની ભાજપની સરકારોએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ ઘઉંનો પુરવઠો પુનઃસ્થાપિત કરવા જણાવ્યું છે. આ ત્રણેય ભાજપ શાસિત રાજ્યોએ ઘઉંની માંગ એવા સમયે કરી છે જ્યારે કેન્દ્ર સરકાર ઓક્ટોબર 1 અને માર્ચ 2023 માટે નિર્ધારિત ફરજિયાત સંગ્રહ સ્તર સુધી પહોંચવા માટે લડી રહી છે. આ ત્રણેય ભાજપ શાસિત રાજ્યોએ ઘઉંની માંગ એવા સમયે કરી છે જ્યારે કેન્દ્ર સરકાર ઓક્ટોબર 1 અને માર્ચ 2023 માટે નિર્ધારિત ફરજિયાત સંગ્રહ સ્તર સુધી પહોંચવા માટે લડી રહી છે.
કેન્દ્ર સરકારે ઘઉંની ખરીદીમાં રેકોર્ડ ઘટાડાને ધ્યાનમાં રાખીને 14 મેના રોજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 10 રાજ્યોને ઘઉંની ફાળવણીમાં લગભગ 40 ટકાનો ઘટાડો કર્યો હતો. જેમાં ગુજરાત, યુપી અને એમપીનો સમાવેશ થાય છે. ત્યારે કેન્દ્રએ કહ્યું કે, આ નિર્ણય આ રાજ્ય સરકારોની સંમતિના આધારે લેવામાં આવ્યો છે જેથી કરીને સ્ટોરેજની અછતને પૂરી કરી શકાય.
કેન્દ્ર સરકાર માટે રાજ્યોની માંગ પૂરી કરવી લગભગ અશક્ય
કેન્દ્ર સરકાર માટે રાજ્યોની માંગ પૂરી કરવી લગભગ અશક્ય છે કારણ કે, 1 ઓક્ટોબરના રોજ ભારતીય ખાદ્ય નિગમ (FCI) પાસે બફર સ્ટોક કરતાં માત્ર 1.2 મિલિયન ટન વધુ ઘઉંનો જથ્થો હતો. આવી જ સ્થિતિ 1 એપ્રિલ, 2023 ના રોજ થવાની સંભાવના છે.
મધ્યપ્રદેશની સરકારે શુ કહ્યું હતું ?
મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે ગયા મહિને કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયને પત્ર લખીને ઘઉંનો સંપૂર્ણ ક્વોટા પાછો આપવાની માગણી કરી હતી. પત્રમાં એવી દલીલ કરવામાં આવી છે કે, તે રાજ્યના મુખ્ય આહાર માટે મહત્વપૂર્ણ છે. યુપી અને ગુજરાતની સરકારોએ પણ મંગળવારે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં આયોજિત ફૂડ મિનિસ્ટર્સ કોન્ફરન્સમાં આવી જ માંગ ઉઠાવી હતી.
ગુજરાતના ખાદ્ય મંત્રી નરેશભાઈ પટેલે શુ કહ્યું ?
ગુજરાતના ખાદ્ય મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં લોકો ચોખા કરતાં ઘઉંને પસંદ કરે છે. અમે સરકારને ઘઉંની ફાળવણી વધારવા વિનંતી કરીએ છીએ.
યુપીના ખાદ્ય મંત્રી સતીશ ચંદ્ર શર્માએ શુ કહ્યું ?
યુપીના ખાદ્ય મંત્રી સતીશ ચંદ્ર શર્માએ કહ્યું કે, પશ્ચિમ યુપીમાંથી ચોખાની ફાળવણીને લઈને ફરિયાદો આવી રહી છે. "જો કેન્દ્ર અમારી માંગ સ્વીકારે છે, તો તે ઘણી મદદ કરશે," તેમણે કહ્યું. પરંતુ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પોતાના સંબોધનમાં આ અંગે ચર્ચા પણ કરી ન હતી.
શુ કહ્યું ખાદ્ય મંત્રાલયે ?
રાજ્ય સરકાર જૂનીG સિસ્ટમ લાગુ કરવા માંગ કરી છે. જો કે, ખાદ્ય મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યોની માંગણીઓ સ્વીકારવાનો અવકાશ નહિવત છે. "જ્યારે રાજ્યો ઘઉં ખરીદી શકતા નથી, તો તેઓ અમારી પાસેથી ફાળવણીની અપેક્ષા કેવી રીતે રાખી શકે?"
નોંધનિય છે કે, 14 મે પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાના લાભાર્થીઓને 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા આપવામાં આવ્યા હતા. હવે તેમને 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા આપવામાં આવે છે. એક અધિકારીએ કહ્યું, “અમે વિનંતી કરી છે કે 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા આપવામાં આવે. આશા છે કે, સરકાર અમારી વાત સ્વીકારશે. તેવી જ રીતે, યુપીમાં, ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, લાભાર્થીઓને 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા મળે છે, અગાઉ 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખાનું મિશ્રણ થતું હતું.