આગરાની ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના 87માં દીક્ષાંત સમારંભ મંગળવારે ખંદારી પરિસરમાં થયો હતો. જ્યાં તેમણે કશ્મીરી પંડિતો વિશે ઉલ્લેખ કર્યો હતો.
દીક્ષાંત સમારંભમાં પહોંચ્યા હતા આનંદીબેન પટેલ
આનંદીબેન કશ્મીરી પંડિતોને લઈને કહી આ વાત
લોકોને આ બધું વાંચવા ભલામણ કરી
આગરાની ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના 87માં દીક્ષાંત સમારંભ મંગળવારે ખંદારી પરિસરમાં થયો હતો. સમારંભની અધ્યક્ષતા કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું હતું. મુખ્ય અતિથિ તરીકે પરમાર્થ નિકેતન આશ્રમ ઉત્તરાખંડના સ્વામી ચિદાનંદ સરસ્વતી સામેલ થયા હતા. દીક્ષાંત સમારંભને સંબોધન કરતા રાજ્યપાલે કશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેઓ ભાવૂક થઈ ગયા હતા.
કશ્મીરી પંડિતો પર કહી આ વાત
કુલાધિપતિ આનંદીબેન પટેલે કહ્યું કે, કશ્મીરમાંથી પંડિતો પોતાનું બધું જ છોડીને કંઈ એમ જ નથી આવ્યા. ત્યાં મહિલાઓને પ્રતાડિત કરવામા આવી હતી. 1991માં આતંકવાદીઓએ પડકાર આપ્યો હતો કે, લાલચોક પર આવીને ઝંડો લહેરાવો. ત્યારે એકતા યાત્રા લાલચોક પર આવીને પહોંચી. 43 દિવસ કન્યાકુમારીથી કશ્મીર પહોંચીને એકતા યાત્રામાં સામેલ મેં પણ ઝંડો લહેરાવ્યો હતો.
યુનિવર્સિટી પ્રશાસને કહી આ વાત
રાજ્યપાલે કહ્યું કે, યુનિવર્સિટીમાં જે ઈમારતોનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે, તેનો એક મહિનામાં રિપોર્ટ આપો. આપને જે જવાબદારી આપવામાં આવી છે, તેના લેખાજેખા બતાવો. રાજભવનમાંથી એક અધિકારી હવે યુનિવર્સિટીનું નિરીક્ષણ કરશે. દરેક બિંદુ પર રિપોર્ટ મને સોંપશે.
લોકોને પોતાની જવાબદારી સમજવા જણાવ્યું
તેમણે દીક્ષાંત સમારંભમાં હાજર લોકોને કહ્યું કે, વિજળી બચાવવા પર કામ કરો, ગ્રીન કેમ્પસ પર કામ કરો. વૃક્ષ લગાવો, સામાજિક જવાબદારીઓ સમજો. અન્ય લોકોને પણ જવાબદારી સોંપો. તેમણે કહ્યું કે, આઝાદ ભારતમાં આપણે સુરક્ષિત છીએ. તેના માટે આપવામાં આવેલા બલિદાનોને યાદ કરો. સેલ્યુલર જેલ, જલિયાંવાલા બાગમાં શું થયું તેના વિશે વાંચો.