એક ખાનગી મીડિયા રિપોર્ટે કોરોનાના દેશના આંકને લઈને કર્યો ઘટસ્ફોટ. મીડિયાના જણાવ્યાનુંસાર દેશમાં રોજના 2થી 2.5 લાખ કેસ નોંધાઈ કર્યા છે. આ આંકડા અને સરકારી આંકડામાં અઢી ગણું અંતર જોવા મળ્યું છે.
દેશમાં 1 લાખ નહીં બેથી અઢી લાખ આવવા જોઈએ કેસ
ખાનગી મીડિયાના રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો
દેશમાં કોરોનાના કેટલાક ડેટા જાહેર જ નથી થયા
આ આંકડા જાહેર થાય તો દેશમાં દરરોજ 2થી 2.5 લાખ કેસ નોંધાઈ શકે
દેશમાં 1 લાખ નહીં બેથી અઢી લાખ કેસ આવવા જોઈએ. દેશમાં RT-PCR અને રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવીટી રેટ એક સરખો છે. નિષ્ણાતોના મતે બન્ને ટેસ્ટમાં અઢી ગણું અંતર હોવું જોઈએ. જ્યારે દેશમાં દરરોજ 95 હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે.
ખાનગી મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં કોરોનાના કેટલાક ડેટા જાહેર જ નથી થયા. આ આંકડા જાહેર થાય તો દેશમાં દરરોજ 2થી 2.5 લાખ કેસ નોંધાઈ શકે છે. આ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે RT-PCRનો પિઝિટિવિટી રેટ 9 ટકા છે. જ્યારે રેપિડ એન્ટીજન ટેસ્ટનો પોઝિટિવિટી રેટ 7 ટકા છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. એક દિવસમાં 93 હજાર 215 કેસ નોંધાયા છે. એક દિવસમાં 1 હજાર 140 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 77 હજાર 746 લોકો એક દિવસમાં સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાના 9 લાખ 87 હજાર 531 એક્ટીવ કેસ છે. જ્યારે હાલ ભારતમાં કોરોનાના કુલ કેસ 48 લાખ 45 હજાર 3 છે.