ઉંઝાના વેપારીએ પીએમ કાર્યાલય ખાતે ફરિયાદ કરી છે કે તેને રાજકોટ ક્રાઈમ બ્રાંચે 2 દિવસ ગોંધી રાખી માર માર્યો હતો. વેપારીએ સીસીટીવી અને ફોટા સાથે ફરિયાદ કરી છે. જેથી પોલીસ બેડામાં હવે હડકંપ મચી ઉઠ્યો છે.
રાજકોટ ક્રાઈમ બ્રાંચ ફરી વિવાદોમાં
ઉંઝાના વેપારીએ તેને માર માર્યો હોવાના કર્યા ગંભીર આક્ષેપ
CCTV અને ફોટાના આધારે પીએમ કાર્યાલય ખાતે કરી ફરિયાદ
તાજેતરમાંજ રાજકોટ પોલીસ કમિશન સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. સાથેજ તે મામલે ક્રાઈમ બ્રાન્ચ સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉંપરાત એક પછી એક રાજકોટ પોલીસ પર હવે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે. ત્યારે વધુમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
વેપારીએ પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે કરી ફરિયાદ
ઉંઝામાં રહેતા વેપારી મહેશ પટેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે તેને ક્રાઈમ બ્રાંચ દ્વારા માર મારવામાં આવ્યો છે. આપને જાણીને નવાઈ લાગશે કે વેપારીએ પ્રધાનમંત્રી કાર્યાલાય ખાતે લેખીતમાં ફરિયાદ કરી છે. જેના કારણે આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
સીસીટીવી ફુટેજને સાથે પીએમને ફરિયાદ કરી
વેપારીએ CCTV ફુટેજ તેમજ મારા માર્યાના ફોટા હોવાના પુરવા સાથે PMને ફરિયાદ કરી છે. વેપારી મહેશ પટેલે ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ પર આક્ષેપ લગાવ્યા છે. કે તેમના દ્વારા ખોટી રીતે તેને માર મારવામાં આવ્યો છે. જેમા બાનાખત પડવાવા તેને બે દિવસ સુધી ગોંધી રાખ્યો હોવાની ફરિયાદ પણ સામે આવી છે.
ક્રાઈમ બ્રાંચ પર લાગ્યા ગંભીર આક્ષેપો
ઉલ્લેખનીય છે કે ગોવિંદ પટેલના લેટર બાદ રાજકોટ પોલીસ પર એક બાદ એક ગંભીર આક્ષપો લાગી રહ્યા છે. જેના કારણે હાલ રાજકોટ પોલીસ ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે વધુમાં ઉંઝાના વેપારીએ હવે ક્રાઈમ બ્રાન્ચ પર આક્ષેપો લગાવ્યા છે. કે તેને ખોટી રીતે માર મારવામાં આવ્યો હતો. જેમા તેણે ડાયરેક્ટ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી છે.