વસ્તી નિયંત્રણ મુદ્દે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેનું નિવેદન આપતા થોડા દિવસ અગાઉ નીતિન પટેલે કરેલી હિન્દુ બહુમતીની વાતને નકારી કાઢી હતી
વસ્તી નિયંત્રણ મુદ્દે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેનું નિવેદન
સરકારે વન ચાઈલ્ડ પોલિસી લાવવી જોઈએ
વન ચાઈલ્ડ પોલિસી લાગુ પડશે તો જ વસ્તી નિયંત્રણ થઈ શકશે
આ કાયદો લાવવા માટે PM મોદીને પણ રજૂઆત કરશે રામદાસ અઠાવલે
કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના પ્રધાન રામદાસ અઠાવલે ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુજરાતને લગતા અનેક મુદાઑ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને પાટીદારોને અનામત મુદ્દે નિવેદન આપ્યા બાદ વસ્તી નિયંત્રણ મુદ્દે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ વાત કરતાં કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા વન ફેમિલી વન ચાઈલ્ડની પોલિસી લાવવી જરૂરી છે આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અગાઉ હિંદુઓની વસ્તી ઘટશે તો દેશનું બંધારણ ખતરામાં આવી જશે દેશમાં ક્યાંય કાયદાનું અસ્તિત્વ નહીં રહે તેવું નિવેદન આપ્યું હતી જેનું રામદાસ અઠાવલેએ ખંડન કરતા કહ્યું હતું કે આવું કાઈ થવા નું નથી.
હિંદુઓ હિંદુ જ રહેવાના છે : કેન્દ્રીય મંત્રી અઠાવલે
વસ્તી નિયંત્રણ મુદ્દે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે આગામી સમયમાં સમગ્ર દેશમાં વસ્તી નિયંત્રણ માટે સમાન નાગરિક ધારો લાવવાની જરૂરિયાત છે વન ફેમિલી વન ચાઈલ્ડ પોલિસી લાવવાની જરૂર છે તોજ દેશમાં વસ્તી નિયંત્રણ થઇ શકશે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ રજુઆત કરશે તેમણે થોડા દિવસ અગાઉ નીતિન પટેલે હિન્દુ બહુમતી પર આપેલા નિવેદનને નકારતા કહ્યું હતું કે આવું કાઈ થવાનું નથી ...હિંદુઓની વસ્તી ઘટવાની નથી હિંદુઓ હિન્દૂ જ રહેવાના છે હવે બળજબરી પૂર્વક ધર્માતરણ થતું
નથી. બીજી તરફ હિન્દુત્વની સમગ્ર વાતને હવે વિપક્ષ ચૂંટણીલક્ષી હોવાનો આરોપો કરી રહ્યું છે. ત્યારે હિન્દુ બહુમતી અને કાયદા વાળા નીતિન પટેલના નિવેદનને સી આર પાટીલ સમર્થન આપી ચૂક્યા છે તો બીજી તરફ કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના પ્રધાન રામદાસ અઠાવલેએ વાતનું ખંડન કર્યું છે.
હિન્દુ બહુમતી પર નીતિન પટેલે આપ્યું હતું નિવેદન
29 ઓગસ્ટના રોજ વિશ્વ હિન્દુ પરિષદના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે નીતિન પટેલે કહ્યું હતું કે આપણા દેશમાં કેટલાક લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા વિશે વાત કરી રહ્યાં છે...તમારે વીડિયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો...મારા શબ્દોને નોંધી લો...જે પણ લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત કરી રહ્યાં છે...આવું ત્યાં સુધી છે જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે...જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે એ બાદ ના ધર્મનિરપેક્ષતા, ના લોકસભા, ના બંધારણ બચશે...બધુ જ હવામાં ઉડાવી દેવામાં આવશે...તેમણે વધુમાં કહ્યું કે, હું બધા વિશે વાત કરી રહ્યો નથી...મારે સ્પષ્ટતા પણ કરવી જોઇએ...લાખો મુસલમાનો દેશભક્ત છે...લાખો ઇસાઇ પણ દેશભક્ત છે. આ નિવેદન બાદ નીતિન પટેલ પોતાની વાત પર અડગ રહ્યા હતા અને સી આર પાટિલે તેમની આ વાતને સમર્થન કરતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની સ્થિતિ જોતાં નીતિનભાઈએ હિન્દુ બહુમતી બાબતે ચિંતા વ્યકત કરી છે.