રાજયમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે વાવાઝોડાને લઈને દિલ્લીમાં મહત્વની બેઠક યોજવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી. જેમાં ગૃહ મંત્રાલય અને સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા.
ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાને લઇ સંબંધિત વિભાગોની કામગીરીની સમીક્ષા કરી. મળતી માહિતી મુજબ અધિકારીઓએ વાવાઝોડાને લઇ તૈયારીઓનો રિપોર્ટ રજૂ કર્યો. મહત્વનું છે કે,અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે અને વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડુ 12 જૂનની રાત્રે ત્રાટકવાની શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
અરબી સમુદ્રમાં સર્જાઈ લો પ્રેશર સિસ્ટમ
અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. જેથી તે આગળ ધીરે-ધીરે વધીને ઉત્તર- ઉત્તર પશ્ચિમ તરફ વધશે. જેના પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવાઈ છે. ડિપ્રેશન વેરાવળથી દક્ષિણ પૂર્વથી 930 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડાની અસર ગુજરાત પર વધુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
HM directed senior officers to take possible measures to ensure that ppl are safely evacuated; also directed for 24*7 functioning of control rooms. Indian Coast Guard, Navy, Army & Air Force units put on standby&surveillance aircraft & helicopters carrying out aerial surveillance https://t.co/2PvfVTDKEG
રાજ્યના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જામનગર, પોરબંદર. ઉના, જાફરાબાદ, વેરાવળ સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. 12 જૂનથી રાજ્યમાં વરસાદની અસર શરૂ થશે. 13 જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
અમરેલીના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જાફરાબાદ ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવ્યું છે. હવામાન વિભાગે સમુદ્રમાં પવન સાથે વાવાઝોડું આવે તેવી આગાહી કરી છે. ત્યારે સૂચનાને લઇ મોટાભાગની બોટ જાફરાબાદ બંદર પર પહોંચી છે. હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું હતું કે અમે સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છીએ.