વધી રહેલા કોરોના કેસોની વચ્ચે સ્કૂલો ખુલતા સરકાર એક્શનમાં આવી છે અને સ્કૂલો જતા બાળકોનું વેક્સિનેશન વધારવાની સલાહ આપી છે.
સ્કૂલો ખુલતા જ સરકાર એક્શનમાં
સ્કૂલે જતા બાળકોનું વેક્સિનેશન વધારવાની સલાહ
વૃદ્ધો માટે પ્રીકોશન ડોઝ વધારવો પડશે
જિનોમ સિકવન્સિંગ મજબૂત કરવું પડશે
દેશમાં ફરી એક વાર કોરોનાની નવી લહેર શરુ થઈ છે અને તેને કારણે કેસોમાં દિનપ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. મહત્વની વાત એ છે કે કોરોનામાં સ્કૂલો જતા બાળકોને સુરક્ષિત કેવી રીતે રાખવા તેને લઈને સરકાર ચિંતિત છે અને તેને માટે હવે સ્વાસ્થ્ય મંત્રી મનુસખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરીને તેમને 3 નિર્દેશ આપ્યા છે.
Union Health Minister Masukh Mandaviya interacted with State Health Ministers; urged states to focus on increasing #COVID19 vaccination coverage for school-going children, precaution dose for the elderly & strengthening genome sequencing: Health Ministry
રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે મનસુખ માંડવિયાએ ચર્ચા કરી
રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે મનસુખ માંડવિયાએ ચર્ચા કરી હતી. ચર્ચામાં માંડવિયાએ રાજ્યોને ત્રણ મોટા નિર્દેશ આપ્યાં છે જેથી કરીને નવી લહેરમાં બાળકો અને વૃદ્ધો સુરક્ષિત રહી શકે. માંડવિયાએ રાજ્યોને કહ્યું કે સ્કૂલે જતા બાળકોનું વેક્સિનેશન વધારવું જોઈએ સાથે સાથે વૃદ્ધો માટે પણ પ્રીકોશન ડોઝ વધારવા પર ધ્યાન આપવું જોઈએ અને રાજયોએ જિનોમ સિકવન્સિંગ વધારે મજબૂત કરવું પડશે.
રાજ્યોને કેન્દ્રના 3 નિર્દેશ
(1) સ્કૂલે જતા બાળકોનું વેક્સિનેશન વધારો
(2) વૃદ્ધો માટે પણ પ્રીકોશન ડોઝ વધારવા પર ધ્યાન આપો
(3) જિનોમ સિકવન્સિંગ વધારે મજબૂત કરવું પડશે
કોરોના રસીકરણની મહાઝુંબેશ શરૂ કરવા સૂચન
આજે યોજાયેલી કોન્ફરન્સમાં હર ધર દસ્તક 2.0. અંતર્ગત કોરોના રસીકરણની મહાઝુંબેશ શરૂ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે વર્ષ 2025 સુધીમાં સમગ્ર દેશમાંથી ટી.બી. નાબૂદ કરવાના પરિણાસ્વરૂપ તાલુકા સ્તરે જનપ્રતિનિધીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ટી.બી.ગ્રસ્ત દર્દીઓને દત્તક લઇ નિયમિત સારવાર ઉપલ્બધ કરાવવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. તો સાથે સાથે મોતીયાના ઓપરેશનની પેન્ડેન્સી ઘટાડવા ખાસ ઝુંબેશનું આયોજન હાથ ધરવ પણ જણાવાયું છે.