કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને એઇમ્સના ટ્રોમા સેન્ટરની આજે મુલાકાત લીધી હતી. જેમાં તેમણે દર્દીઓ સાથે મુલાકાત કરી અને સ્વાસ્થ્ય સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ દરમિયાન એઇમ્સના નિર્દેશક ડો.રણદીપ ગુલેરિયા પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
2021 में 2020 के मुकाबले भले ही मामलों की संख्या बढ़ रही है, उसकी गति तेज़ है। लेकिन 2021 में आपके(डॉक्टरों) पास कई सौ गुना ज़्यादा अनुभव है और हम बीमारी की गंभीरता को अच्छी तरह समझ चुके हैं। हमारे पास आज पहले के मुकाबले ज़्यादा आत्मविश्वास है: एम्स में केंद्रीय स्वास्थ्य मंत्री pic.twitter.com/3pLgAZDhYE
2021માં ડોક્ટર પાસે કોવિડનો અનુભવ છેઃ ડો.હર્ષવર્ધન
ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધા બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે 2021માં 2020ના મુકાબલે ભલે કેસની સંખ્યા વધારે છે પરંતુ આપણે તૈયાર છીએ કારણ કે 2021માં ડોક્ટર પાસે કોવિડનો અનુભવ છે અને કોરોના બિમારીને ડોક્ટરો સારી રીતે સમજી ગયા છે. આપણી પાસે પહેલા કરતા વધુ આત્મવિશ્વાસ છે. તેમણે કહ્યું કે આપણે ટેકનોલોજી મામલે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને અત્યારે સૌથી મોટો પડકાર માત્ર કોરોનાની આ લહેર છે.
We are now equipped with everything. We know all the techniques and guidelines. The only challenge is how to overcome the present surge in #Covid cases: Union Health Minister Dr Harsh Vardhan pic.twitter.com/WDnlxUxKDV
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાં મોટા પ્રમાણમાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. જુદા જુદા રાજ્યોમાં હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હોવાની ફરિયાદ સામે આવી રહી છે અને સ્મશાનોના દ્રશ્યો પણ ભયાવહ દેખાઈ રહ્યા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને દૈનિક કેસના આંકડામાં ખૂબ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે હવે કેસનો આંકડો બે લાખને પાર થઈ ગયો છે. આજે કોરોના વાયરસના નવા 2,17,353 કેસ સામે આવ્યા છે જ્યારે 1,18,302 લોકો સાજા થયા છે. 24 કલાકમાં ભારતમાં 1,185 લોકોના મોત નિપપજ્યા છે.