કોરોનાની નવી લહેરે ફેલાવેલી તારાજીના લીધે દેશમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે, હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે, અને જરૂરી મેડિકલ સામગ્રીનો પણ અભાવ વર્તાઇ રહ્યો છે.
આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન
રેમિડેસીવીરની અછત હોવાની વાત સ્વીકારી
રસીની અછતની વાતને આરોગ્ય પ્રધાને નકારી
અમુક મહિનાઓ પહેલા જ્યાં દેશમાં એક્ટિવ કેસનો આંકડો માત્ર 1.5 લાખ સુધીનો રહી ગયો હતો, તે હવે વધીને 13 લાખને પાર પહોંચી ગયો છે, રોજબરોજ નવા કેસનો રેકોર્ડ બની અને તૂટી રહ્યો છે, અઘોષિત રીતે ભારતનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર દબાણમાં આવી ગયું છે, હોસ્પિટલના બેડ, આઇસીયુ બેડની અછત વચ્ચે રસીના સ્ટોકમાં અછતની બૂમરાણ અને રેમિડેસીવીર ઇન્જેકશનની અપ્રાપ્યતાની વચ્ચે દેશના આરોગ્ય મંત્રીએ આ બાબતને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
Drugs Controller General of India (DGCI) has directed for strict action into any complaint of black marketing of Remdesivir. Those who are exploiting people&creating artificial shortage of medicine,strict action should be taken against them:Union Health Minister Dr Harsh Vardhan
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો, હર્ષવર્ધને કહ્યું છે કે રેમિડેસીવીરના ઇન્જેકશનની અછત છે, તે વાત સાચી છે, બુધવારે સ્વાસ્થ્ય મંત્રીએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે આની ઉણપ એટલે પડી કેમ કે દેશમાં તેનું ઉત્પાદન ઘટી ગયું હતું. કારણ કે તે સમયે દેશમાં કોરોનાના કેસ પણ ઘટી રહ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ બાબતે કરાયેલ કાર્યવાહીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે અમારી ડ્રગ કન્ટ્રોલર ઓથોરિટી અને મંત્રાલયે કંપનીઓની સાથે બેઠક કરીને રેમિડેસીવીરનું ઉત્પાદન વધારવાની મંજૂરી આપી છે, તે જ સમયે આરોગ્ય મંત્રીએ રસીની અછતની વાતને ફગાવતા કહ્યું હતું કે એવું કશું નથી, ભારત સરકાર દરેક રાજ્યને રસી પૂરી પાડે છે, અને આ રાજ્યોનું કામ કછે કે તે રસીકરણ કેન્દ્રો પર સમયબદ્ધ રીતે તેને પહોંચતી કરે અને રસીનો ડોઝ લોકોને લગાવડાવે.
DCGIએ કાળાબજારીની કોઈ પણ ફરિયાદ પર કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે : ડો. હર્ષવર્ધન
સાથે જ આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે DCGIએ રેમિડેસીવીરની કાળાબજારીની કોઈ પણ ફરિયાદ પર કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે, જે લોકોનું શોષણ કરે છે અને દવાની ઉણપ પેદા કરે છે,તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સહિતના અમુક રાજ્યોએ એવો દાવો કર્યો હતો કે તેમને ત્યાં રસીની ઉણપ વર્તાઇ રહી છે, અને મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે અમારે અહીં રસીના લીધે ઘણા કેન્દ્રો બંધ કરવા પડ્યા છે.