ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાના પીએમ મોદીના નિર્ણય બાદ હવે આને કેબિનેટમાંથી મંજૂરી મળી જશે. આજે તેને લઈને બેઠક થઈ રહી છે.
આજે પ્રધાનમંત્રી આવાસ પર કેબિનેટની બેઠક
બેઠક બાદ ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાના સંબંધિત બિલને કેબિનેટને મંજૂરી માટે રાખવાની શક્યતા
એક વર્ષથી ખેડૂત સંગઠન 3 કૃષિ કાયદાની વિરુધ્ધ પ્રદર્શન કરી રહ્યા છે
આજે પ્રધાનમંત્રી આવાસ પર કેબિનેટની બેઠક
બુધવારે નવી દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી આવાસ પર કેબિનેટની બેઠક છે જ્યાં ત્રણ કૃષિ કાયદાને પાછા લેવા માટે લાવવામાં આવેલા બિલ પર ચર્ચા થઈ શકે છે. હકિકતમાં આના માધ્યમથી દેશમાં ખેડૂતોને આ સંદેશો આપવા ઈચ્છતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાને પાછા લેવાનો જે વાયદો કર્યો હતો. તેને જલ્દી પુરો કરી દેવામાં આવ્યો.
બેઠક બાદ ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાના સંબંધિત બિલને કેબિનેટને મંજૂરી માટે રાખવાની શક્યતા
મીડિયમાં છપાયેલા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી એમ કહેવામાં આવી રહ્યું કે પીએમ આવાસ પર બુધવારે થનારી કેબિનેટ બેઠક બાદ ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાના સંબંધિત બિલમાં કેબિનેટને મંજૂરી માટે રાખી શકાય છે. મનાઈ રહ્યું છે કે કેન્દ્રીય કૃષિ મંત્રીએ પીએમ કાર્યલાયની ભલામણ બાદ આ ખરડાને અંતિમ રુપ આપ્યું છે. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર લોકસભામાં આ બિલને રાખી શકે છે.
એક વર્ષથી ખેડૂત સંગઠન 3 કૃષિ કાયદાની વિરુધ્ધ પ્રદર્શન કરી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે આ 3 કૃષિ કાયદાની વિરુધ્ધ ખેડૂત સંગઠન ગત એક વર્ષથી દિલ્હીની અલગ અલગ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂતોની નારાજગી જોતા 19 નવેમ્બરે પીએમ મોદીને સંબોધિત કરતા આ 3 કૃષિ કાયદાને પાછા લેવાનું એલાન કર્યું હતુ.
જો કે સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાને પાછા લીધા બાદ પણ ખેડૂત સંગઠન આંદોલન ખતમ કરવા માટે તૈયાર નથી. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર તેમની તમામ યોગ્ય માંગોને સ્વીકાર નથી કરતી ત્યાં સુધી આંદોલન જારી રહેશે. ખેડૂતોએ સરકારના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર કાયદાની ગેરન્ટી આપવાની માંગ કરી છે.
બિલ બે પ્રકારના હોય છે
કાયદાનું સ્વરૂપ લેતા મોટાભાગના બિલો સરકારી બિલો છે. લોકસભામાં બિલ રજૂ કરવાનું કામ મુખ્યત્વે કારોબારી દ્વારા કરવામાં આવે છે, (તેથી તે બિલને સરકારી બિલ પણ કહેવામાં આવે છે) પરંતુ તે બિલ legislature દ્વારા પસાર કરવામાં આવે છે. જો કે, ખાનગી સભ્ય બિલ પણ રજૂ કરી શકે છે, જેને ખાનગી બિલ કહેવાય છે.
સંસદમાં સૌપ્રથમ રજૂઆત કરી હતી
બંધારણના નિષ્ણાત સુભાષ કશ્યપે કહ્યું કે કાયદાને રદ્દ કરવો કે પાછો ખેંચવો એ સમાન છે. જ્યારે કોઈ કાયદો પાછો ખેંચવાની વાત આવે છે, ત્યારે સરકારે તેને લાગુ કરવા માટે જે પ્રક્રિયા અનુસરવી પડે છે તે જ પ્રક્રિયાને અનુસરવી પડે છે. સરકાર જ્યારે કોઈ કાયદો પાછો ખેંચે છે ત્યારે તેના માટે ગૃહમાં બિલ લાવે છે. જે સૌપ્રથમ ગૃહમાં સંબંધિત વિભાગના મંત્રી દ્વારા મૂકવામાં આવે છે. વિભાગના મંત્રી તે બિલને સામાન્ય સભ્યો સમક્ષ રજૂ કરે છે અને તે પછી તે બિલ પર ચર્ચા શરૂ થાય છે.
ચર્ચા પછી મતદાન થાય છે
જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ ખરડો પાછો ખેંચવામાં આવે છે અથવા રદ કરવામાં આવે છે, ત્યારે તે ખરડો ગૃહના ટેબલ પર મૂક્યા પછી, તેના અમલીકરણ સમયે કરવામાં આવે છે તેવી જ રીતે તેની ચર્ચા કરવામાં આવે છે. આ કાયદાને પરત કરવા માટેનું બિલ પહેલા રાજ્યસભા અથવા લોકસભામાં રજૂ કરી શકાય છે. ગૃહમાં બંને પક્ષે બિલ પર ચર્ચા થયા પછી, તેની પાછી ખેંચવાની પ્રક્રિયા માટે મતદાન કરવામાં આવે છે. આ મતદાન બંને લોકસભા અને રાજ્યસભામાં બંને બાજુએ થાય છે.
બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે
તેમણે કહ્યું કે જ્યારે સંસદના બંને ગૃહોમાં કાયદો પાછો ખેંચવાનો ખરડો પસાર થાય છે, ત્યારે તે રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે અને જે કાયદો રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી જ ચાલતો હોય છે, તે રદ્દ થઈ જાય છે. તેમણે કહ્યું હતું કે કાયદો રદ કરવો અને પાછો ખેંચવો એ સમાન પ્રક્રિયા છે.