કેન્દ્રીય કેબિનેટે મંગળવારે દેશમાં માળખાકીય સુવિધાઓ અને વિકાસને લગતા પ્રોજેક્ટ્સ માટે નાણાં એકત્ર કરવા રાષ્ટ્રીય બેંકની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય
કેન્દ્રીય મંત્રીઓએ આપી માહિતી
રાષ્ટ્રીય બેન્ક બનાવવાનો નિણર્ય લીધો
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ દરમિયાન નાણાં પ્રધાને એમ પણ કહ્યું હતું કે બેંકોના ખાનગીકરણથી તેમના કર્મચારીઓના હિતને અસર નહીં થાય.
Past attempts to have alternative investment funds were taken up, but for various reasons, we ended up with no bank which could take up long-term risk (which is very high) and fund development: Finance Minister Nirmala Sitharaman
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી. બેઠક બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. નાણાં પ્રધાને કહ્યું હતું કે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે નવી રાષ્ટ્રીય બેંક બનાવવામાં આવશે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સંબંધિત કામો માટે ભંડોળ એકત્ર કરશે. કેબિનેટે અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ટ્રાન્સમિશન અને વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવા રૂ9129.32 કરોડના સુધારેલા ખર્ચ અંદાજને પણ મંજૂરી આપી છે. ભારત અને માલદીવ વચ્ચે રમત-ગમત અને યુવા બાબતોમાં સહકાર અંગેના કરારને મંજૂરી આપવામાં આવી છે.
Union Cabinet has cleared the setting up of a Development Finance Institution (DFI), in acknowledgement of the realization that both development and financial objectives will matter for setting up a DFI: Finance Minister Nirmala Sitharaman
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે બજેટ દરમિયાન અમે ઉલ્લેખ કર્યો હતો કે અમે માળખાગત સુવિધાઓ અને વિકાસને લગતી પ્રવૃત્તિઓ માટે રાષ્ટ્રીય બેંક સ્થાપિત કરીશું. કેન્દ્રીય મંત્રીમંડળે ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન (ડીએફઆઈ) અથવા ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની રચનાને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે વિકાસ અને નાણાકીય ઉદ્દેશો બંને ડીએફઆઇની સ્થાપના માટે મહત્વપૂર્ણ અને બાબત હશે.
Cabinet approves MoU between India and Maldives on cooperation in sports and youth affairs
નાણાં પ્રધાને કહ્યું કે ડીએફઆઈ, લાંબા ગાળા માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરશે, બજેટ 2021 ના પ્રારંભિક ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ વર્ષે લગભગ 20 હજાર કરોડ રૂપિયાની મૂડીરોકાણ થશે, આની પ્રારંભિક ગ્રાન્ટ પાંચ હજાર કરોડ રૂપિયા હશે. આ સાથે સીતારમણે કહ્યું કે ગ્રાન્ટમાં વધારાનો વધારો પાંચ હજાર કરોડ રૂપિયાની મર્યાદામાં કરવામાં આવશે.
We have announced a Public Enterprise Policy, where we have identified 4 areas where public sector presence will be there, in this, financial sector too is there. Not all banks are going to be privatized: Finance Minister Nirmala Sitharaman
નાણાં પ્રધાને કહ્યું કે સરકાર ડીએફઆઈ માટે કેટલીક સિક્યોરિટીઝ આપવાની યોજના બનાવી રહી છે, જેનાથી ભંડોળનો ખર્ચ ઘટશે. આ બધાથી ડીએફઆઈને પ્રારંભિક મૂડીનો લાભ લેવામાં અને વિવિધ સ્રોતોમાંથી નાણાં પાછા ખેંચવામાં મદદ મળશે. સીતારામને કહ્યું કે આનાથી ભારતમાં બોન્ડ માર્કેટમાં પણ સકારાત્મક અસર પડશે.
Interests of workers of banks which are likely to be privatized will absolutely be protected - whether their salaries or scale or pension, all will be taken care of: Finance Minister Nirmala Sitharaman.
'બેંકોનું ખાનગીકરણ તેમના કર્મચારીઓના હિતોને અસર કરશે નહીં'
સીતારામને કહ્યું કે જે બેંકોનું ખાનગીકરણ થવાની સંભાવના છે તે ખાનગીકરણ પછી પણ તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી શકશે. ત્યાંના સ્ટાફના હિતો સુરક્ષિત રહેશે. તેમણે કહ્યું કે ખાનગીકરણ કરવામાં આવી રહેલ બેંકોના કર્મચારીઓના હિતોનું સંરક્ષણ તમામ સંજોગોમાં કરવામાં આવશે, પછી ભલે તે પગાર હોય કે પેન્શન, બધાની કાળજી લેવામાં આવશે. તેમણે કહ્યું કે અમે પબ્લિક એન્ટરપ્રાઇઝ પોલિસીની જાહેરાત કરી છે, જેમાં અમે ચાર ક્ષેત્રને ઓળખી કાઢ્યા છે જ્યાં જાહેર ક્ષેત્રની હાજરી રહેશે. નાણાં ક્ષેત્ર પણ તેમાંનું એક છે. નાણાં પ્રધાને કહ્યું કે તમામ બેંકોનું ખાનગીકરણ કરવામાં નહીં આવે.