આજે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની એક મીટિંગ થઈ હતી, જેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
સરકારી યોજના માટે પોષણયુક્ત ચોખા આપવામા આવશે
કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત
આજે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની એક મીટિંગ થઈ હતી, જેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે તમામ સરકારી યોજનાઓ માટે વધારાના પોષણયુક્ત ચોખાના વિતરણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પોષણયુક્ત ચોખાના વિતરણને જાહેર વિતરણ વ્યવસ્થા અને અન્ય યોજના અંતર્ગત ત્રણ તબક્કામાં લાગૂ કરવામાં આવશે.
અનુરાગ ઠાકુરે કરી જાહેરાત
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં ગુરૂવારે થયેલી મંત્રીમંડળની બેઠકમાં આ સંબંધમાં એક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, આ સંબંધમાં પુરવઠો અને વિતરણ માટે ભારતીય ખાદ્ય નિગમ અને રાજ્યોની એજન્સીઓએ પહેલા જ 88.65 લાખ ટન અધિક પોષણ યુક્ત ચોખાની ખરીદી કરી લીધી છે .
વર્ષે 2700 કરોડનો આવશે ખર્ચ
અનુરાગ ઠાકુરે કહ્યું કે, તેને લક્ષિત સાર્વજનિક વિતરણ વ્યવસ્થાના માધ્યમથી અમલમાં લાવવામાં આવશે. તેની સાથે જ વર્ષ 2024 સુધી તબક્કાવાર રીતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેને લાગૂ કરવામાં આવશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે, આ યોજના પર વાર્ષિક 2700 કરોડ રૂપિયા ખર્ચ આવશે. જેને કેન્દ્ર સરકાર ઉઠાવશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત મળતા ચોખાને પોષણયુક્ત બનાવીને વહેંચવામાં આવશે.