રાજસ્થાનના જોધપુરના આસોપ શહેરના કબૂતરો કરોડપતિ છે અને તેમને નામે કરોડો રુપિયાની સંપત્તિ છે.
રાજસ્થાનના જોધપુરના આસોપ શહેરના કબૂતરો છે કરોડપતિ
કબૂતરોનું બેંક બેલેન્સ 35 લાખ રૂપિયા
કબૂતરોના નામે 33 કરોડની 36 વીઘા ખેતીની જમીન
તમે ઘણા લોકો વિશે સાંભળ્યું હશે જેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. પરંતુ શું તમે ક્યારેય કરોડપતિ કબૂતરો વિશે સાંભળ્યું છે?રાજસ્થાનના જોધપુર જિલ્લાના નાના શહેર આસોપામાં કેટલાક કબૂતરો છે, જે કરોડપતિ છે. હા, તમે 'મિલિયોનેર કબૂતર' બરાબર વાંચ્યું છે.
જોધપુરના આસોપ શહેરના કબૂતરો છે કરોડપતિ
જોધપુર જિલ્લાના આસોપ વિસ્તારમાં જ્યાં કબૂતરોના નામ છે, ત્યાં બેંક, ઘર, દુકાન અને જમીનમાં લાખો રૂપિયાનું બેલેન્સ તેમના નામે છે અને તે જ રીતે કબૂતરોનો પાનકાર્ડ નંબર પણ છે. કબૂતરો ભાડું પણ લે છે અને તેમના ભાડા અને જમીનની કમાણીમાંથી ધાર્મિક કાર્ય સંબંધિત કામ કરવામાં આવે છે.જોધપુરથી 90 કિમી દૂર આસોપમાં કબૂતરોનું બેંક બેલેન્સ 35 લાખ રૂપિયાની નજીક છે અને ગામના બજાર વિસ્તારમાં 36 વીઘા જમીન છે, જેની કિંમત 13 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે, અને કબૂતરોના નામે 36 વીઘા ખેતીની જમીન છે. આ જમીન પર ગામના લોકો ખેતી માટે બોલી લગાવે છે અને તેની આવકથી થતી આવક કબૂતરોના ખાતામાં જમા થાય છે.આસોપ કબૂતરોના નામે 30 લાખથી વધુ રકમ જમા છે. આ વિસ્તારમાં કબૂતરના નામે ત્રણ દુકાનો પણ છે.
કબૂતરોના નામે 33 કરોડથી વધુની જમીન
કબૂતરોના નામે 33 કરોડ રુપિયાની જમીન છે. કહેવાય છે કે રજવાડાના સમયમાં આસોપના કેટલાક ધનવાન લોકો કે જેમનો કોઈ વારસદાર ન હતો, તેમણે પોતાની જમીન લખીને કબૂતરોના નામે દાનમાં આપી દીધી હતી. અત્યાર સુધીમાં 26 વીઘા જમીન છે અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીન 364 વીઘા છે. કબૂતરોની સારસંભાળના હિસાબ માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું છે. જે દર વર્ષે આ જમીનને ખેતી માટે લીઝ પર આપે છે. જે આવક થાય તેમાંથી કબૂતરો માટે દાણાપાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
કબૂતરને નામે સંપત્તિ રાખવાનો વિચાર નવા નવા ઉદ્યોગપતિ બનેલા સજ્જનરાજ જૈનને આવ્યો. ઉદ્યોગપતિએ કબુતરન ટ્રસ્ટ બનાવ્યું. તેમણે તેમના પૂર્વજોમાંથી પ્રેરણા લઈને જીવદયા ક્ષેત્રને કંઈ નવું કરવાનું વિચાર્યું અને તેમણે એક ટ્રસ્ટ બનાવ્યું અને ત્યાર પછી કબૂતરોન દાણાપાણાની વ્યવ્યસ્થા કરી. તેમણે જેવું આ ટ્રસ્ટ બનાવ્યું કે તરત લોકોએ ઉદાર હાથે દાન આપવાનું શરુ કર્યું. હવે કબૂતરોની માલિકીની જમીન પર એક મોટી ગૌશાળા પણ ચાલી રહી છે જેમાં 500 ગાયોને સાચવવામાં આવે છે.