UGCએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશભરની તમામ યુનિવર્સિટીઓને 29 સપ્ટેમ્બરનાં રોજ સર્જિકલ સ્ટ્રાઈક દિવસ મનાવવાનું ફરમાન જાહેર કર્યું છે. જેનાં ઘેરા પ્રત્યાઘાતો યુનિવર્સીટીમાં પડી રહ્યાં છે. આ પ્રકારનાં આદેશ UGC દ્વારા ગુરૂવારનાં રોજ આપવામાં આવ્યાં છે. નવી દિલ્લી JNUSUનાં પ્રમુખે આ જાહેરાતને રાજકીય સ્ટન્ટ ગણાવેલ છે તો કોંગ્રેસનાં પૂર્વ નેતા શહેજાદ પૂનાવાલાએ આ નિર્ણયને આવકાર્યો છે.
મહત્વનું છે કે UGCનાં આ ફરમાન મુજબ યુનિવર્સિટીમાં પૂર્વ સૈનિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજવા માટેની પણ વિશેષ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વિશેષ પરેડ પ્રદર્શન અને સૈન્ય દળોને પ્રોત્સાહન આપવા માટે ગ્રેટિં કાર્ડ મોકલવાનાં પણ સૂચન આપવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર 2016નાં રોજ ભારતીય સેનાએ સરહદ પાર કરીને આતંકવાદીઓનાં સાત ઠેકાણાં પર સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. જેથી સેનાએ કરેલી આ સર્જીકલ સ્ટ્રાઈકને કારણે આતંકવાદીઓને ખૂબ મોટું નુકસાન થયું હતું.