કોરોના વાયરસમાં ભારતમાં જો કોઈ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત હોય તો તે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં હાલ સુધીમાં સંક્રમિતોની સંખ્યા 27524 સુધી પહોંચી છે. લોકડાઉન 4.0ને લઈને રાજ્યની સરકારે કેટલાક ખાસ સંકેત આપ્યા છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે લોકડાઉનને 31 મે સુધી લંબાવવાના સંકેત આપ્યા છે તો કેટલીક બાબતોમાં છૂટછાટ આપવાનું પણ જણાવ્યું છે.
કોરોના સંકટમાં મહારાષ્ટ્ર સરકારનો સંકેત
લોકડાઉન 4.0ને લઈને કરી આ મોટી વાત
31 મે સુધી લોકડાઉન વધારવાના આપ્યા છે સંકેત
મહારાષ્ટ્ર સરકારની બેઠકમાં કોરોના વાયરસને લઈને અનેક વિષયો પર ચિંતા કરવામાં આવી રહી છે જેના કારણે લોકડાઉનને 31મે સુધી વધારવાની વાત કરવામાં આવી છે. બેઠકમાં કહેવાયું છે કે કેટલીક જગ્યાઓએ છૂટ આપવામાં આવી શકે છે પણ મુંબઈ, પુના, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગામમાં લોકડાઉનમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં. બેઠકમાં કહેવાયું છે કે ગ્રીન ઝોન વાળા વિસ્તારોમાં વધારે છૂટ આપવામાં આવી શકે છે.
આ રીતે કોરોનાથી પ્રભાવિત છે મુંબઈ
દેશમાં કોરોનાના સૌથી વધારે કેસમાં મહારાષ્ટ્રનું મુંબઈ પણ છે. તેની સ્થિતિ વધારે ખરાબ બની છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 998 પોઝિટિવ કેસ મળ્યા છે. જ્યારે 25 લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દીના મોતનો આંક જોતા કહી શકાય કે અહીં દર કલાકે 1 વ્યક્તિનું મોત થાય છે. મુંબઈમાં પણ હાલ સુધીમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 16579 થઈ છે. જ્યારે 621 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્રમાં આવી છે કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં કોરોનાના કારણે દર્દીઓની સંખ્યા 27524 સુધી પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં અહીં નવા કેસના કારણે તમામ રેકોર્ડ તૂટ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1602 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં હાલ સુધીમાં 1019 લોકોના મોત થયા છે અને સાથે જ રાજ્યની ગંભીરતાને જોતાં ઉદ્ધવ ઠાકરે સરકારે લોકડાઉનને 31 મે સુધી વધારવાના સંકેત આપ્યા છે.