સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીના શાસક હિજ હાઈનેસ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું શુક્રવારના રોજ નિધન થઈ ગયું છે.
સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિનું નિધન
ઈસ્લામિક દેશોમાં શોક ફેલાયો
સંયુક્ત અરબ અમીરાતનો વિકાસ કરવામાં સિંહફાળો આપ્યો
સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીના શાસક હિજ હાઈનેસ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું શુક્રવારના રોજ નિધન થઈ ગયું છે. રાષ્ટ્રપતિ મામલાના મંત્રાલયે આ પ્રકારની જાહેરાત કરી છે. શેખ ખલીફાના નિધન પર યુએઈ, અરબ, ઈસ્લામિક રાષ્ટ્ર અને દુનિયાના લોકોએ સંવેદના વ્યક્ત કરી છે. સરકાર તરફથી જાયદ અલ નહયાનના નિધન પર 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ ઉપરાંત દેશની તમામ ખાનગી અને સરકારી સેક્ટર્સમાં ત્રણ દિવસ માટે જાહેર રજા રહેશે.
અબૂ ધાબીના શાસક તરીકે પણ કામ કર્યું
શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાને 3 નવેમ્બર 2004થી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીના શાસક તરીકે કામ કર્યું. તેમણે પોતાના પિતા સ્વર્ગિય મહામહિમ શેખ જાયદ બિન સુલ્તાન અલ નાહયાનના ઉત્તરાધિકારી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શેખ જાયદ બિન સુલ્તાને 1971માં સંઘ બાદથી 2 નવેમ્બર, 2004 સુધી યુએઈના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કામ કર્યું હતું. 2 નવેમ્બર 2004ના રોજ તેમનું નિધન થયું હતું.
United Arab Emirates President Sheikh Khalifa Bin Zayed Al Nahyan has died, state news agency WAM reported on Friday: Reuters
1948માં જન્મેલા શેખ ખલીફા યુએઈના બીજા રાષ્ટ્રપતિ અને અબૂ ધાબી અમીરાતના 16માં શાસક હતા. તે શેખ જાયદના સૌથી મોટા દિકરા હતા. સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ બન્યા બાદથી શેખ ખલીફાએ સંઘીય સરકાર અને અબૂ ધાબીની સરકાર માં એક મોટા પુનર્ગઠનની અધ્યક્ષતા કરી હતી. તેમના શાસનકાળમાં સંયુક્ત અરબ અમીરાતમાં ખૂબ જ ઝડપથી વિકાસ થયો. તેનાથી લોકોનું જીવન સ્તર ખૂબ આગળ આવ્યું.
પિતા શેખ જાયદની વિરાસતને આગળ વધારી
સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ તરીકે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય તેમના પિતા શેખ જાયદ દ્વારા બતાવામાં આવેલા રસ્તા પર દેશને આગળ લઈ જવાનો હતો. તેમણે કહ્યું હતું કે, શેખ જાયદની વિરાસત એક સમૃદ્ધ ભવિષ્ય તરફ અમારુ માર્ગદર્શન કરનારુ રહ્યું. શેખ ખલીફાએ તેલ અને ગેસ ક્ષેત્ર તથા ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોનો વિકાસ કરીને તેને આગળ વધાર્યો. તેનાથી દેશના આર્થિક વિવિધીકરણમાં સફળતાપૂર્વક આપ્યું.