દિલ્હીમાં ખેડૂત ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસની વિનંતીને માન આપીને ટ્વિટરે એક મોટી કાર્યવાહી કરી છે
ભારત સરકારે ભ્રામક,ભડકાઉ અને હેશટેગ ચલાવવાના આરોપસર 250 જેટલા ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દીધા છે. ખેડૂત આંદોલન દરમિયાન આ એકાઉન્ટ પરથી #ModiPlanningFarmerGenocide નામના હેશટેગ ચલાવીને ભ્રામક અને ખોટી માહિતી ફેલાવાઈ હતી. કેન્દ્ર સરકારની નોટીસ બાદ ટ્વિટરે આ કાર્યવાહી કરી હતી.
માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે દિલ્હી ટ્રેક્ટર પરેડ અંગે કથિત રીતે ભ્રામક ટ્વિટ કરનાર કેટલાક એકાઉન્ટ્સ ભારતમાં બંધ કરી દીધા છે. તપાસ એજન્સીઓની માગને પગલે ટ્વિટરે આ પગલું ભર્યું છે. ટ્વિટર દ્વારા બંધ કરાયેલા એકાઉન્ટમાં ધ કારવા નામના મેગેઝીન સહિત કેટલાક રાજકીય કાર્યકરોના એકાઉન્ટ સામેલ છે.
કિશાન એકતા મોરચાના એકાઉન્ટ પણ બંધ
ટ્વિટરે જે એકાઉન્ટ બંધ કર્યાં છે તેમાં કિશાન એકતા મોરચાના એકાઉન્ટ પણ સામેલ છે. આ ખેડૂત નેતાઓએ ટ્વિટર પર પોતાના સત્તાવાર એકાઉન્ટ ગણાવ્યાં હતા. આ બધાના પ્રોફાઈલ પર ક્લિક કરતી વખતે એવું લખેલું આવતું હતું કે સંબંધિત એકાઉન્ટ પર એક કાનૂની માગના જવામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખેડૂત રેલી હિંસક થયા બાદ 27 જાન્યુઆરીએ ટ્વિટરે કહ્યું હતું કે તેણે 300 કરતા પણ વધારે એકાઉન્ટ બંધ કરી દીધા હતા.