સિઝન ચેન્જ થાય એટલે શરદી અને કફની સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી હોય છે. આ સમયે તેનાથી પરેશાન રહેવાના કારણે તમે દવાઓ લો તે સામાન્ય વાત છે. પરંતુ જો તમે આ સમયે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવો છો તો તમે ઝડપથી રાહત મેળવી શકો છો.
કફની સમસ્યામાં મળશે રાહત
અપનાવી લો આ ઘરેલૂ ઉપાયો
દવાઓના બદલે કામમાં આવશે આ ઉપાય
બદલાતી સિઝનમાં શરદી અને કફની સમસ્યાને કારણે તમે અનેક વાર મુશ્કેલીમાં મૂકાઈ જાઓ છો. શક્ય છે કે તમે તેની સમયસર સારવાર નહીં કરો તો તમને તાવ પણ આવી શકે છે. દવાઓને બદલે તમે આ નાના ઉપાયો અજમાવી લો છો તો પણ તમે તેમાંથી રાહત મેળવી શકો છો.
જો તમને વધારે છીંક આવતી હોય તો અજમાને ગરમ કરો અને તેને પાતળા કપડામાં પોટલી બનાવીને સૂંઘો. રાહત મળશે
અજમાને શેકીને તેનું તાજું બનાવેલું ચૂરણ ઘસવાથી છીંક અને માથાના કૃમિનો નાશ થાય છે.
નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી લો અને 2-3 કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત મળે છે.
શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ગરમ કરો અને તેમાં વેસેલીન, નીલગીરીનું તેલ કે કપૂર નાંખો. હવે માથાથી તપેલી ઢંકાય તે રીતે જાડો રૂમાલ કે કપડું લો અને નાસ લો. તરત જ ફાયદો મળશે.
પાણીમાં સૂંઠની ગાંગડી મૂકો અને પાણી અડધા ભાગનું રહે ત્યાં સુધી ઉકાળો અને ઠારીને ગાળો. તળિયાનો ક્ષાર ન આવે તે રીતે બીજા વાસણમાં લો. શરદીને લગતી અનેક સમસ્યાઓ અને સાથે જ ડાયાબિટીસ, લો બ્લડપ્રેશર, શરીર ઠંડું રહેવું વગેરેમાં લાભદાયી છે.
સૂંઠ, તજ અને ખડી સાકરનો ઉકાળો પીવાથી શરદી અને સળેખમમાં રાહત મળે છે.
તજ, મરી અને આદુનો ઉકાળો રોજ પીવાથી શરદી મટે છે.
દહીંમાં મરી અને ગોળ મિક્સ કરીને ખાવાથી શરદીમાં રાહત મળે છે.
મધ અને આદુનો રસ 1-1 ચમચી મિક્સ કરો અને સવાર -સાંજ પીવાથી શરદી મટે છે.
ફૂદીનાનો તાજો રસ અથવા અર્ક શરદીને દૂર કરવામાં લાભદાયી રહે છે.
લવિંગને દીવા પર શેકીને મોઢામાં રાખવાથી શરદી અને ગળાનો સોજો મટે છે.
પા ચમચી એલચીના ચૂરણની સાથે એક ચમચી મધ મેળવો અને તેને ચાટો. તેનાથી ઉધરસ મટે છે. કફ, શરદીની સાથે દમ, ઉબકા આવવા, અરુચી અને મોઢાના રોગો તથા માથાના રોગમાં પણ લાભદાયી બને છે.