પાકિસ્તાનનાં ડાબોળી ફાસ્ટ બોલર જુનૈદ ખાન પસંદગીકારોનો નિર્ણય પસંદ નથી આવ્યો. તેઓએ પોતાની નારાજગીની રજૂઆત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસ્વીર શેર કરીને કરી દીધી.
વર્લ્ડ કપ માટે પાકિસ્તાનનાં 15 સભ્યોની સ્કૉડમાંથી હટાવી દેવા પર પાકિસ્તાનનાં ડાબોળી ફાસ્ટ બોલર જુનૈદ ખાન પરેશાન છે. જુનૈદને પસંદગીકારોનો નિર્ણય પસંદ નથી આવ્યો. તેઓએ પોતાની નારાજગીની રજૂઆત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસ્વીર શેર કરીને કરી દીધી છે. જેમાં તેઓએ પોતાનાં મોં પર કાળી ટેપ લગાવી રાખી છે.
હકીકતમાં મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે સોમવારનાં રોજ અંતિમ-15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ખેલાડીઓનાં હાલનાં પ્રદર્શનને જોતા ત્રણ ફેરફાર પણ કર્યા છે. ફાસ્ટ બોલર મોહમ્હદ આમિર અને વહાબ રિયાજને 15 સભ્યોની પાકિસ્તાની ટીમમાં શામેલ કરવામાં આવશે.
18 એપ્રિલનાં રોજ જાહેર કરેલ 15 ખેલાડીઓની પ્રારંભિક ટીમમાં પસંદગીકારોએ આબિદ અલી અને જુનૈદ ખાનની જગ્યા ક્રમશઃ આસિફ અલી અને મોહમ્મદ આમિરને શામેલ કરેલ છે. જ્યારે વહાબ રિયાજને ફહીમ અશરફની જગ્યાએ બોલાવવામાં આવેલ છે. જુનૈદે પાકિસ્તાન તરફથી અત્યાર સુધી 76 વનડેમાં 110 વિકેટ પોતાનાં નામે કરેલ છે. ઇગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝમાં જુનૈદને બે વનડે રમવાનો મોકો મળ્યો કે જેમાં તેઓને 2 જ વિકેટ મળી.
Chief selector Inzamam-ul-Haq announcing the final 15-player squad for the #CWC19 at the Gaddafi Stadium.
29 વર્ષનાં જુનૈદે ટ્વિટર પર ખુદની તસ્વીર શેર કરી, કે જેમાં તેઓએ મોં પર કાળી ટેપ ચિપકાવી રાખી છે. આ સાથે તેઓએ લખ્યું કે, 'હું કંઇ પણ કહેવા નથી ઇચ્છતો. સત્ય કડવું હોય છે.' જો કે બાદમાં જુનૈદે ટ્વિટર પર આ પોસ્ટને હટાવી લીઘી છે પરંતુ ત્યાં સુધીમાં તો તેમની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી હતી.