કોરોના કાળમાં સારવારને નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાનો ડૉક્ટરે જ કર્યો મોટા ખુલાસા કરતા હડકંપ, વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ સામે તપાસનો ધમધમાટ શરૂ
સ્ટર્લિંગ હોસ્પિટલે આફતને અવસરમાં પલટી
કોરોના ગાઇડલાઇન કરતા વધુ ઉઘરાવ્યા નાણાં
સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી
કોરોના કાળમાં સારવારને નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાનો ડૉક્ટરે જ કર્યો મોટા ખુલાસા કરતા હડકંપ મચી ગયો છે. જે બાદ હવે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ સામે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
આફતને અવસરમાં બદલનાર તબીબો પર આક્ષેપ પ્રતિઆક્ષેપ લાગી રહ્યા છે કોરોના કાળમાં વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલે કોરોના દર્દીઓના સગાઓ પાસેથી કરોડો રૂપિયાની ખંખેર્યા હોવાના આક્ષેપ થતા હવે મામલો સીધો ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચ્યો છે, દર્દીઓને સારવાર આપી દર્દીઓના સગાઓ પાસેથી રૂપિયાની લ્હાણી કરનાર ખૂદ ડોક્ટરો જ એક બીજા પર આક્ષેપ કરી રહ્યા છે સ્ટર્લિંહ હોસ્પિટલે કોરોના કાળમાં સારવારને નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાનો ડૉક્ટરે જ કર્યો મોટો ખુલાસો હડકંપ મચી ગયો છે. જે બાદ હવે વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલ સામે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
સ્ટર્લિંગ હોસ્પિટલે આફતને અવસરમાં પલટી
જેને પગલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્ટર્લિંગના ઝોનલ હેડ અનિલ નામ્બિયારની પૂછપરછ કરાઈ છે, તેમજ 4 તબીબો અને ચીફ એકાઉન્ટટ સહિત ચીફ ફાયનાન્સિયલ હેડ મોનિષ ઠક્કર, ડૉ.રિતેશ શાહ,ડૉ.રેવતી ઐયર અને ડૉ.મનોજ મહેતા અને ટાયરન ફર્નાન્ડિઝની પણ પૂછપરછ કરાઈ છે. સમગ્ર મામલે કોરોના કાળના હિસાબો રજુ કરવા ACP ક્રાઈમે કરી તાકીદ કરી છે. કોરોના કાળમાં સરકારે નિયત કરેલા દર કરતા વધુ નાણા દર્દીઓ પાસે ખંખેર્યા તેમજ કોરોના ગાઈડલાઈન કરતા વધુ નાણા ઉઘરાવ્યા હોવાનું પલ્મોનોલોજીસ્ટ ડૉ.સોનિયા દલાલે આક્ષેપ કર્યો છે. જેને લઈ ડૉ. સોનિયા દલાલ પલ્મોનોલોજીસ્ટ ડોક્ટરના નામે રુપિયા ઉઘરાવ્યા જણાવાયું છે.
કોરોના ગાઇડલાઇન કરતા વધુ ઉઘરાવ્યા નાણાં
મહત્વનું છે કે તાજેતરમાં જ પૂર્વ મંત્રી યોગેશ પટેલે ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી ઉગાડી લૂંટ ચલાવાતી હોવાના આક્ષેપ કર્યા હતા જેમાં હોસ્પિટલો દ્વારા બેફામ 1880 કરોડ વસૂલ્યાનું નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું, ત્યારે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપનાર પલ્મોનોલોજિસ્ટે 30 કરોડ રૂપિયા લેવાયા હોવાનો આરોપ લગાવતા સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. સેવા આપના તબીબને નામે કરોડો રૂપિયા ચાર્જ વસુલનારી હોસ્પિટલે કુલ ચાર્જની સામે માત્ર 1.41 કરોડ રૂપિયા આપી હાથ અધ્ધર કરી દેતાં મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.
30 કરોડ વધુ ઉઘરાવ્યા હોવાનો દાવો
વડોદરાના પલ્મોનોલોજિસ્ટ ડો.સોનિયા દલાલે પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે 2018માં તેમની સાથે સ્ટર્લિંગ હોસ્પિટલે કરાર કર્યા હતા અને એ પ્રમાણે હોસ્પિટલે ઇન્ડોર પેશન્ટનો જે ચાર્જ થાય એ તમામ તેમને આપવાનો હતો. પેશન્ટની સર્જરી થાય તો બિલના 80 ટકા તેમને આપવાના હતા અને આઉટડોર પેશન્ટ ચકાસવામાં આવે તો 80 ટકા રકમ તેમને આપવાની હતી.
પલ્મોનોલોજીસ્ટ ડોક્ટરના નામે ઉઘરાવ્યા રૂપિયા
આ રકમ દર ત્રણ મહિને ચૂકવવામાં આવતી હતી. ત્યાર બાદ કોરોના મહામારી શરૂ થતાં કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેમાં આઇસીયુ, વેન્ટિલેટર તેમજ વોર્ડમાં દાખલ થતાં દર્દીઓ માટેની ફી નક્કી કરવામાં આવી હતી, જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા વિઝિટ કરવામાં આવે તો તેની વિઝિટ ફી અલગ ગણાશે એમ સ્પષ્ટ જણાવાયું હતું. દરમિયાન દર્દીઓની સંખ્યા વધતાં 5 ડોક્ટરની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં 4 ડોક્ટર સ્ટર્લિંગ હોસ્પિટલમાં પગારથી નોકરી કરતા હતા, ટીમમાં તેઓ એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતાં. આમ, ગાઇડલાઇન મુજબ નોકરી કરતા ડોક્ટરના નામે પેશન્ટ પાસેથી ચાર્જ વસૂલી શકાય નહીં એટલે અમારા નામથી ચાર્જ વસૂલવામાં આવતો હતો.
ડૉ. સોનિયા દલાલની ફરિયાદ બાદ તપાસ શરૂ
હવે સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને તબીબો સહિત ડોસ્પિટલના સત્તાધિશો, તેમજ ચીફ એકાઉન્ટટથી લઈને ચીફ ફાયનાન્સિયલ હેડ, ઝોનલ હેડ સહિત તમામની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવેલી ઉઘાડી લૂંટને મામલે વડોદરાના મેયર કેયુર રોકડિયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ કહ્યું કે સ્ટર્લિંગ હોસ્પિટલ કે અન્ય હોસ્પિટલનો ભોગ બન્યા હોય તો ફરિયાદ કરો, કોર્પોરેશનને ફરિયાદ કરશો તો તપાસ થશે અને હોસ્પિટલે વધુ નાણા વસુલ્યાની વિગતોની તપાસ કોર્પોરેશનની કમિટી કરશે અને જો હોસ્પિટલે નાણાં વધુ લેધા હશે તો પરત અપાવવાની ખાતરી આપી છે. સાથે જ ધારાસભ્ય જીતુ સુખડીયાનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે અમે જ કમિટીની રચના કરી અને ભાવ નક્કી કર્યા હતા તેમજ અમે જ સ્ટર્લિંગ હોસ્પિટલે નાણા વધુ લીધા હોવાની પોલીસમાં ફરીયાદ છે હોસ્પિટલે ઉઘાડી લૂંટ ચવાવી તે હકિકત હોવાનું ધારાસભ્યએ જણાવ્યું છે.