પાલિતાણમાં રાજસ્થળી રોડ પર એક માતા તેના બે સંતાનો સાથે નાળામાં તણાઈ ગઈ. જેેમા બાળકોના દુખદ મોત થયા છે. જ્યારે માતાને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવી છે.
પાલિતાણમાં માતા અને બાળકો નાળામાં તણાયા
બાળકો તણાઈ જતા તેમના દુ:ખદ મોત
સ્થાનિકોએ ભેગા થઈને મહિલાનો કર્યો આબાદ બચાવ
ભાવનગરમાં ભારે વરસાદને કારણે એક દુખદ દુર્ઘટના બની છે. જેમા એક માતાએ તેના બે સંતાનોને ગુમાવી દીધા છે. જેના કારણે માતા પર આભ તૂંટી પડ્યું છે. માતા તેના પુત્ર અને પુત્રી સાથે પાણીમાં તણાઈ ગઈ જેના કારણે તેના સંતાનોનું અવસાન થયું છે. જ્યારે તેને સ્થાનિકો બહાર કાઢી લીધી જેથી તેનો જીવ બચી ગયો છે.
રાજસ્થળી રોડ પરનો અકસ્માત
પાલિતાણામાં આવેલ મોટી રાજસ્થળી રોડ પર આ બનાવ બન્યો છે. જ્યા માતા સહિત તેની બે સંતાનો પાણીમાં તણાઈ ગઈ હતી. જોકે માતા બચી ગઈ પરંતુ તેના સંતાનોના મોત થયા છે. આપને જણાવી દઈએ કે રાજસ્થળી રોડ પર આવેલ શીતળા માતાના મંદિર પાસે આ બનાવ બન્યો છે.
સ્થાનિકોએ માતાને બચાવી
માતા એક્ટિવા પર તેના બાળકોને સ્કૂલો મુકવા જઈ રહી હતી. જે દરમિયાન નાણમાં એક્ટિવ ખાબક્યું. જેના કારણે એક્ટિવા પર બેસેલા ત્રણેય લોકો તણાયા હતા. આ ઘટનામાં સ્થાનિકોએ માતાને તો બચાવી લીધી પરંતુ તેઓ તેની સંતાનોને ન બચાવી શક્યા.
ભારે જહેમત બાદ બાળકોના મૃતદેહ મળ્યા
ઘટનાની જાણ થતા નગરપાલિકા અને ફાયરબ્રિગેડની ટીમ સ્ખળે પહોચી હતી. જ્યા તેમણે ભારે જહેમત બાદ બાળકોના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.