સોનાના ઘરેણાંની શુદ્ધતાના નામ પર થનારી છેતરપિંડી પર પૂરી રીતે રોક લગાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી લીધી છે. દેશમાં સ્વર્ણાભૂષણો પર હોલમાર્કિંગને ફરજીયાત કરવા પર નિર્ણય લેવામાં આવ્યો છે. એ હેઠળ નવી સૂચનાઓ આ સપ્તાહ જારી કરવાની શક્યતા છે. ત્યારબાદ હોલમાર્કિંગ વગર કોઇ ઘરેણાં બજારમાં વેચવા શક્ય બનશે નહીં. એના માટે દરેક જ્વેલર્સને હોલમાર્કિંગનું લાયસન્સ લેવું જરૂરી થશે.
હાલમાં સોનાના ઘરેણાનું હોલમાર્કિંગ સ્વૈચ્છિક છે. સોનાની ગુણવતાની સમસ્યા ગ્રાહકો અને જ્વેલર્સની વચ્ચે ભરોસા પર છોડી દેવામાં આવ્યો હતો. હવે સરકારે એની પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. પ્રસ્તાવવિત હોલમાર્કિંગમાં 22 કેરેટ 18 કેરેટ અને 14 કેરેટના સોનાની શુદ્ધતા માપવામાં આવશે. ફરજીયાતની આ નવી જોગવાઇને શ્રેણી બદ્ધ તરીકે લાગૂ કરવામાં આવશે. હાલ દેશમાં આશરે અઢી લાખથી વધારે જ્વેલર્સમાંથી માત્ર 25 હજારે જ લાયસન્સ લીધું છે.
કેન્દ્રીય ગ્રાહકોના મામલે મંત્રાલય તરફથી જારી થનાર દિશા નિર્દેશો પર આવતા છ મહિનાની અંદર અમલ કરવું જરૂરી બનશે. રાજ્યોની રાજધાની અને અન્ય મોટા શહેરોને આ સમયમાં જોગવાઇ લાગૂ કરવી પડશે. પરંતુ નાના શહેરો માટે થોડી છૂટ આપતાં એક વર્ષનો સમય આપવામાં આવી શકે છે. એના માટે રાજ્ય સરકારે પોતાના ત્યાંના દરેક જ્વેલર્સને આ માટે પૂરી જાણકારી તો આપશે જ સાથે એમને હોલમાર્કિંગની નવા ગાઇડલાઇન માટે વિસ્તારથી જણાવશે.
સૂત્રોના પ્રમાણે ગ્રાહકો મામલે મંત્રાલયે આ ડ્રાફ્ટને કાયદા મંત્રાલયને લીલી ઝંડી મળી ચુકી છે. નીતિ આયોગે એના માટે પ્રસ્તાવ તૈયાર કરીને ગ્રાહકોના મામલેના મંત્રાલયને લાગૂ કરવાનું સૂચન છે.