દિલ્હીમાં આજે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર પરેડ કરવામાં આવી રહી છે, ખેડૂતો હવે પોતાના નિશ્ચિત રૂટને છોડીને બીજા રસ્તા પર આગળ વધી રહ્યા છે જેમાં ઘણી જગ્યાએ હિંસા કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ
ખેડૂતોએ વાહનો અને બેરિકેડમાં તોડફોડ કરી
પોતાના રૂટને છોડીને પોલીસ પર બળપ્રયોગ કરી રહ્યા છે ખેડૂતો
અમિત શાહે બોલાવી બેઠક
રાજધાની દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આવામાં ગૃહ મંત્રાલયે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને દિલ્હીની સ્થિતિ મુદ્દે સમક્ષી કરી હતી. આ સાથે જ ખેડૂત આગોવાનોની વિનંતી બાદ ખેડૂતો પણ સિંઘુ બોર્ડર તરફ જવા રવાના થયા છે.
હોબાળો થનારી જગ્યાઓ પર ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ
દિલ્હીમાં હોબાળો થનારી ટિકેરી બોર્ડર, સિંઘુ બોર્ડર, ગાઝીપુર, મુંકરબા ચોક, નાંગોલાઇ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ
RAFની ટુકડી મોકલવામાં આવી
કેટલાક ખેડૂતો લાલ કિલ્લા પર આવી પહોંચ્યા હતા અને વિરોધ કરી હતા ત્યારે આ મામલે હવે તંત્ર દ્વારા RAFની ટુકડી મોકલી હતી અને ખેડૂતો દ્વારા ફરકાવવામાં આવેલ ધ્વજ ઉતારવામાં આવ્યો હતો.
લાલ કિલ્લા પર પહોંચ્યા ખેડૂતો
ઘણા ખેડુતો આઈટીઓ પર થયેલી ધમાલ વચ્ચે લાલ કિલ્લા પર પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે ડઝન ટ્રેક્ટરમાં સવાર સેંકડો ખેડુતો લાલ કિલ્લા સંકુલ પહોંચ્યા છે, જ્યાં તેઓ દેખાવો કરી રહ્યા છે.
પૂર્વ અને ઉત્તર પૂર્વ દિલ્હીથી મધ્ય દિલ્હી તરફ જતા તમામ રસ્તાઓ પોલીસે બંધ કરી દીધા છે. કોઈ પરિવહનની મંજૂરી નથી. તે જ સમયે, આઈટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ ચલાવવામાં આવી રહ્યા છે. ખેડુતો હજી ઉભા છે.
પોલીસે કર્યો લાઠી ચાર્જ
પોલીસે લાલ કિલ્લા અને ઇન્ડિયા ગેટ તરફ જતા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે. આ સાથે અશ્રુ ગેસના શેલ પણ સતત છોડવામાં આવી રહ્યા છે. પોલીસે હાલ ખેડુતોને પાછળ ધકેલી દીધા છે, પરંતુ ખેડુતો હજી પણ આઇટીઓ પર ઉભા છે. પ્રજાસત્તાક દિનની સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ સાથે ખેડૂતોની સંખ્યા પણ વધી રહી છે.
રાકેશ ટિકૈતે આપ્યું મોટું નિવેદન
આ તરફ કૃષિ આંદોલનકારી રાકેશ ટિકૈતે ખેડૂતો પરના દમનની ઘટનાને વખોડી હતી. સાથે જ તેમણે કહ્યું કે, અમે આંદોલનકારી ખેડૂતો છીએ અસામાજીક તત્વો નથી
ખેડૂતોની ટ્રેક્ટર પરેડ : જેનો ભય હતો તે જ થયું
- ગાઝીપુર બોર્ડર નજીક બેરિકેડમાં તોડફોડ
- અક્ષરધામ-નોઈડા પાસે અથડામણ
- નોઈડા-અથડામણમાં બોર્ડર પર મોટી અથડામણ
- કેટલાક સ્થળે છૂટાછવાયા ઝઘડાઓનાં, ખેડૂતોએ વાહનોમાં તોડફોડ કરી
- ખેડૂતોએ એનઓસીના 37 નિયમોનું ઉલ્લંઘન કર્યું
- પોલીસ અનેક જગ્યાએ બળનો ઉપયોગ કરી રહી છે, ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા
- ખેડુતો આઇટીઓ સુધી પણ પહોંચી ગયા છે
ગાજીપુર બોર્ડરથી ખેડૂતોની ભીડ આગળ વધી રહી છે અને અક્ષરધામ થઈને અપ્સરા બોર્ડર જશે ખેડૂતો
#WATCH Protesters break barricade, attack police personnel and vandalise police vehicle at ITO in central Delhi pic.twitter.com/1ARRUX6I8E
ગણતંત્ર દિવસના કારણે દિલ્હીમાં પોલીસ અલર્ટ છે અને ભારે સંખ્યામાં જવાનોની તૈનાતી કરી દેવામાં આવી છે. ઘણી બધી જગ્યાએ પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ દેખાઈ રહ્યું છે. દિલ્હી પોલીસ કમિશનરે સ્પષ્ટટતા કરી છે કે ગણતંત્ર દિવસ સમારોહ ડ્યુટીમાં તૈનાત જવાનોએ પણ અલર્ટ રહેવાની જરૂર છે.
ટીકરી બોર્ડર પર ખેડૂતોએ કહ્યું છે કે હવે તેઓ જે નક્કી કરવામાં આવેલ રૂટ છે ત્યાં નહીં જાય અને ધૌલયકુઆ જશે.
નરેશ ટિકૈતે સરકાર પાસે કરી આ માગણી
ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે તેઓ ગણતંત્ર દિવસ મનાવામાં આવ્યાં છે, અમે શાંતિપૂર્ણ રેલી નિકાળી રહ્યાં છે અને નક્કી કરેલા રુટથી પરત આવી જઇશું. મારી સરકારને અપીલ છે કે તેઓ પોતાની જીદ છોડી દે અને એક નાની માગણી માની લે, બધા ખેડૂતો પોતાના ખેતરમાં જતા રહેશે.
નોઇડામાં ફરી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
નોઇડા મોડ પર ફરી ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. ખેડૂતો અને પોલીસની વચ્ચે ટકરાવ જોવા મળ્યો છે. ખેડૂતોએ બેરિકેડસને તોડીને ફંકી દીધો છે. ખેડૂતોએ કહ્યું છે કે પોલીસની લાપરવાહીના કારણે આ ટકરાવ જોવા મળ્યો છે. આ ઘર્ષણ પછી ખેડૂતોએ તેના રુટ પર જવા કહેવામાં આવ્યું છે.
નોઇડા મોડ પર ખેડૂતો તોડ્યા બેરિકોડ
ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ બેરિકોડ તોડ્યા છે. ત્યાર બાદ પોલીસે આંસૂ ગેસના ગોળા છોડ્યા છે. આ સાથે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે.
ચિલ્લા બોર્ડર પર સ્ટંટ દરમિયાન ટ્રેકટર પલટયું
નોઇડા સેક્ટર 14 A ચિલ્લા બોર્ડર પર સ્ટંટ દરમિયાન દૂર્ઘટના ઘટી છે. ટ્રેકટર માર્ચ દરમિયાન કેટલાંક ખેડૂત સ્ટંટ કરી રહ્યાં હતા. ટ્રેકટરનું સંતુલન બગડતા પલટી ગયું. ટ્રેકટર પલટી ગયા પછી મહાનગર અધ્યક્ષ રાજીવ નાગર ઘાયલ થયા. અવસર પર હાજર લોકોમાં ખેડૂતોને ટ્રેકટરને સીધું કર્યું અને મહાનગર અધ્યક્ષને બહાર નીકળ્યાં.
સિંધુ સરહદથી સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર પહોંચી
સિંધૂ સરહદ પરથી ટ્રેકટર રીલ દિલ્હી સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર પહોંચી. આ રેલી ડીટીયુ-શાહબાદ-એસબી ડેરી-દરવાલા-બવાના ટી પોઇન્ટ-કંઝાવલા ચોક-ખરખોદા ટોલ પ્લાઝા તરફ આગળ વધશે.
Tractor rally from Singhu border reaches #Delhi's Sanjay Gandhi Transport Nagar
The rally will proceed towards DTU-Shahbad-SB Dairy-Darwala- Bawana T-point- Kanjawala Chowk-Kharkhoda toll plaza pic.twitter.com/zt73byudV4
સિંધુ બોર્ડરથી ખેડૂતોએ ટ્રેકટર રેલી શરુ કરી છે. વારં-વારં દિલ્હી પોલીસ તરફથી ખેડૂતોને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે રુટ અંગે પણ જાણકારી આપવામાં આવી રહી છે. ખેડૂતોને રાજીવ ગાંધી ટ્રાન્સપોર્ટ પર રોકી દેવામાં આવ્યાં છે.
ખેડૂતોની ટ્રેકટર રેલીમાં જેસીબી પણ સામેલ
ખેડૂતો તરફથી નિકાળવામાં આવી રહેલી ટ્રેકટર રેલીમાં જેસીબી પણ સામેલ છે. જેસીબીની અંદર બેસીને મહિલાઓ પણ ટ્રેકટર પરેડમાં સામેલ થઇ રહી છે. જેસીબીએ ખેડૂતોનો રસ્તો પહોળો કર્યો અને બેરિકેડસ હટાવ્યાં. સંગીતની ધૂન અને દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોના ટ્રેકટર આગળ વધી રહ્યાં છે.
ટિકરી બોર્ડર પર પણ તોડવામાં આવ્યાં બેરિકેડસ
ખેડૂતોની ટ્રેકટર રેલી શરૂઆતથી જ જાણે ઉગ્ર બનતી હોય તેવું જોવા મળી રહ્યું છે. અગાઉ મળતા અહેવાલ મુજબ સિંધુ બોર્ડર પર ખેડૂતોએ બેરિકેડસ તોડી પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આમ હવે સિંધુ બોર્ડર પછી ટિકરી બોર્ડર પર ખેડૂતોએ પોલીસ બેરિકેડસ તોડી નાંખ્યા છે.
#WATCH Protesting farmers break police barricading at Delhi-Haryana Tikri border
સિંધુ બોર્ડર પરથી ખેડૂતોનો એક જથ્થાએ ટ્રેકટર માર્ચ શરુ કરી દીધું છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ બધા ખેડૂત કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ પંજાબ સાથે જોડાયેલા છે. જો કે હજુ સુધી સંયુક્ત મોર્ચાના માર્ચ શરુ થઇ નથી.
Farmers' #RepublicDay tractor rally from Singhu border proceeds towards Kanjhawala Chowk-Auchandi border-KMP-GT road junction pic.twitter.com/MlbLV40iL8
સિંધુ બોર્ડર પર ખેડૂતોએ પોલીસ તરફથી લગાવામાં આવેલા બેરિકેડસ તોડી નાંખ્યાં છે. ખેડૂતો તરફથી દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
સિંધુ બોર્ડર પર ટ્રેકટર માર્ચની તૈયારી શરુ
સિંધુ બોર્ડર પર ટ્રેકટર માર્ચની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ સુનિશ્ચિત કરશે કે પરેડ શાંતિપૂર્વક કરે અને કોઇ અસમાજિક તત્વ રેલીમાં પ્રવેશ ના કરે.
ગાઝિયાબાદથી દિલ્હી જવાના રસ્તાઓ બંધ
ગાઝિયાબાદના SP ટ્રાફિક રામાનંદ કુશવાહાએ કહ્યું કે યુપી ગેટથી નીકળીને ટ્રેકટર પરેડના કારણે ગાઝિયાબાદથી દિલ્હી જનારા બધા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. આ બધા રસ્તાઓ પર વાહન નહીં ચાલે, જે રસ્તાઓથિ થઇને ટ્રેકટર રેલી નિકળશે. દિલ્હી જવા મુખ્ય યૂપી ગેટને ખેડૂતોએ પહેલા થી જ બંધ કરી દીધો છે.
જરૂરરિયા હોય તો માત્રે બે રસ્તાઓથી જઇ શકશો દિલ્હી
દિલ્હી જવા માટે બે રસ્તાઓ સતત ખુલ્લા રાખવામાં આવશે. જેમાં પહેલો રસ્તો ભોપુરા બોર્ડરના કરાવલનગર, યમુના વિહાર, હર્ષ વિહાર થઇને જઇ શકાશે. ગાઝિયાબાદ અને ટ્રાંસ હિંડનના લોકો આ રસ્તાથી જવા પર18 કિમી લાંબો ચક્કર લગાવો પડશે. જ્યારે બીજી તરફ નોઇડા સેક્ટર 62ના રસ્તે થઇને ડીએનડી થઇને દિલ્હી જવા માટે ખુલ્લો રહેશે. આ રસ્તાઓ પર જવા લોકોએ અંદાજે 14 થી 15 કિમી વધારાનો ચક્કર લગાવો પડશે. લોકોને જો ઇમર્જન્સી હોય તો જ બે રસ્તાઓનો પ્રયોગ કરી દિલ્હી પહોંચી શકશો.
ટ્રેકટર રેલીના આ ત્રણ મુખ્ય રુટ
સિંધુ બોર્ડરઃ સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર - ગાંધી ટ્રાંસપોર્ટ નગર - કંઝાવલા - બવાના-ઔચંડી બોર્ડરથી વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ અથવા કુંડલી-માનસેર-પલવલ એક્સપ્રેસ વે. અંદાજે 63-કીમી.
ટિકરીઃ નાગલોઇ-નઝફગઢ-ઝરોન્દાથી કેએમપી (વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે) સુધી - અંદાજે 63 કીમી
ગાઝીપુરઃ 56 ફુટા રોડ-અક્ષરધામ, આનંદ વિહાર, અપ્સરા બોર્ડર-હાપુડ ચુંગી રોડ થી દુહાઇ અને KMP થી ગાઝીપુર સુધી - 46 કીમી