આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં થયેલી આતંકી ઘટનાઓને લઈને રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યા હતા.ઉપરાંત કેટલા સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે, તેના વિશે પણ જાણકારી મળી છે.
આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં થયેલી આતંકી ઘટનાઓને લઈને રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યા હતા. સાથે જ એવું પણ પૂછવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં કેટલા સુરક્ષાકર્મીઓ આતંકી અથડામણમાં શહીદ થયા છે. જે બાદ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે તેનો જવાબ આપ્યો હતો.
42 terrorist organisations listed in first schedule under UAPA: MoS Home
ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યુ હતું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ કુલ 439 આતંકીઓ માર્યા ગયા છે. સાથે જ આ ઘટનાઓમાં નાગરિકો અને સુરક્ષાદળોનો પણ મોત થયા છે. આ દરમિયાન 98 નાગરિકો અને 109 સુરક્ષાકર્મીઓ શહીદ માર્યા ગયા છે. આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં કુલ 541 આતંકી ઘટનાઓ થઈ હતી.
આતંકી સંગઠનોને લઈને પણ આપી જાણકારી
આ અગાઉ રાજ્યસભામાં આતંકી સંગઠનો અને તે લોકોની જાણકારી પણ આપવામાં આવી હતી. જેમણે ભારતમાં આતંકીઓ તરીકે ચિન્હીત કરવામાં આવ્યા હતા. સરકારે જણાવ્યુ હતું કે, ભારતમાં કુલ 42 સંગઠનો છે. જેમને આતંકી સંગઠન તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે. તો વળી 31 એવા લોકો છે, જેમને યુએપીએ અંતર્ગત આતંકવાદી તરીકે ચિન્હીત કરવામા આવ્યા છે.