વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. પક્ષો પોતપોતાની રીતે રણનીતિ ઘડી રહ્યાં છે. એવામાં ભાજપની ચૂંટણી રણનીતિ હવે વધારે તેજ બની છે.
ચૂંટણી જીતવા ભાજપની તૈયારીઓ તેજ
યુપી-રાજસ્થાનના કાર્યકર્તાઓ કરશે પ્રચાર
પ્રત્યેક વિધાનસભામાં બે કાર્યકરો પ્રચાર કરશે
ચૂંટણી પૂર્વે રાજ્ય (Gujarat) માં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કાર્યકરોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. UPના કાર્યકરો બે દિવસ સુધી સૌરાષ્ટ્રની 48 બેઠકોનો પ્રવાસ કરશે. અમદાવાદની 16 બેઠકો અને સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે 128 જેટલા UPના કાર્યકરો પ્રવાસ કરશે. જ્યારે રાજસ્થાન ભાજપનાં 80 કાર્યકરો આજથી ઉત્તર ગુજરાતની 40 બેઠકોનો પ્રવાસ ખેડશે.
પ્રત્યેક વિધાનસભામાં બે કાર્યકરો બે દિવસનો ચૂંટણી પ્રવાસ ખેડશે
પ્રત્યેક વિધાનસભામાં બે કાર્યકરો બે દિવસનો ચૂંટણી પ્રવાસ ખેડશે. મહત્વનું છે કે, આવતી કાલે ઝારખંડ અને બિહારના કાર્યકરો વડોદરા પહોંચશે. મહારાષ્ટ્રના કાર્યકરો પણ આવતી કાલે સુરત ખાતે પહોંચશે.
આ વખતે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી જામશે ત્રિપાંખિયો જંગ
તમને જણાવી દઇએ કે, છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે 2017માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરીની ચૂંટણી જંગ જામી હતી. હંમેશા 3 આંકડામાં જીતતા ગુજરાત ભાજપને 99 બેઠક જીતી સંતોષ માનવો પડયો હતો. પરંતુ આ વખતે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ નક્કી છે. શહેર બેઠકો પર ભાજપનું રાજ છે જ્યારે ગામડાઓ પર કોંગ્રેસનું વર્ચસ્વ પણ AAPની મજબૂત ઈનિંગથી ભાજપ અને કોંગ્રેસમાં ડર બેઠો છે. આગળની કોઈપણ ચૂંટણીમાં અન્ય રાજ્યના કાર્યકર્તા પર નિર્ભર ન રહેતા ગુજરાત ભાજપે પણ 5 રાજ્યોના કાર્યકરોને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી છે.એનો સીધો જ મતલબ છે કે કોઈ પણ ભોગે ભાજપ ચૂંટણીમાં ઢીલી નીતિ રાખવા માંગતુ નથી.
તેના જ ભાગરૂપે પ્રદેશ ભાજપ દ્વારા અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જુદા જુદા 5 રાજ્યોના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવ્યા છે. ગઇકાલથી જ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કાર્યકરોએ બે દિવસ માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે. જેમાં કાર્યકરો ઘરે-ઘરે જઈને ગુજરાત ભાજપના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચારમાં જોતરાશે.
શહેરી વિસ્તારમાં ભાજપને ડર
ગુજરાતની રાજનીતિમાં હાલમાં ભાજપનું પલડું ભારે છે અને ભાજપે એવું દર્શાવી રહી છે કે આગામી ચુંટણીમાં જીત આશાન છે. હકીકતમાં આ વખતે ભાજપને શહેરી વિસ્તારમાં હારનો ડર વધારે છે અને એટલે જ અન્ય રાજ્યોમાં જેમાં પ્રચાર કરવામાં આવે છે. એ રીતે આ વખતે ગુજરતમાં પણ પ્રચાર કરવામાં આવશે. ભાજપે પ્રચાર માટે 4 ઝોનમાં વહેચીને પ્રચાર કરવા માટે આયોજન કરેલું છે. જેમાં મધ્ય ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડના નેતાઓને સોપી છે. તો દક્ષીણ ગુજરાતની જવાબદારી મહારાષ્ટ્રને સોપવામાં આવી છે. ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન અને સૌરાષ્ટ્ર-કચ્છની જવાબદારી બિહારના નેતાઓને સોપવામાં આવી છે.
કોઈ કચાશ છોડવા માંગતુ નથી ભાજપ
આમ, તો ગુજરાતમાં ચૂંટણી સમયે અન્ય પ્રદેશના નેતાઓ પ્રચાર,સભા કે રોડ શો માટે આવતા હોય છે..પરંતુ આ વખતે કાર્યકર્તાઓની મોટી ફોજ ગુજરાત આવશે અને ઘરે ઘરે જઈને પ્રચાર કરશે મહોલ્લા મીટીંગ કરશે. આ રીતેનો પ્રચાર સામાન્ય રીતે અન્ય રાજ્યોમાં થતો હોય છે. પરંતુ ગુજરાતમાં થતો નથી. પરંતુ આ વખતે આ પેટર્ન પર પ્રચાર કરવામાં આવશે. કારણ કે ભાજપને ડર છે કે નાના સમાજના લોકો ભાજપથી અંતર રાખે છે અને તેના કારણે નુકશાન થઇ શકે છે.. જેથી હાઈ કમાંડ કોઇપણ પ્રકારે રિસ્ક લેવાં માંગતું નથી. આમ ભાજપ દ્વારા હવે ચુંટણીના 4 કે 5 માસ અગાઉ જ આ પ્રકારના પ્રચારનું આયોજન કરેલું છે. જેથી કરી કોઇપણ મહોલ્લો પ્રચારમાં બાકાત ના રહી જાય અને ભાજપને આસાનીથી જીત મળી શકે કારણ કે ભાજપને શહેરી સીટ તૂટવાનો ડર છે અને એટલે જ જોરશોરથી પ્રચાર કરશે.
કેન્દ્રીય નેતાઓનું ગુજરાત પર ફોકસ
આ માટે કેન્દ્રિય નેતાઓ સતત ગુજરાત પ્રવાસ ખેડશે. ખાસ કરીને PM મોદી અને અમિત શાહ દિલ્હીથી ગુજરાત સુધી સતત સભાઓ ગજવશે. રાજ્યમાં અનેક રેલીઓ, રોડશો અને કાર્યક્રમો ગોઠવાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ ગુજરાતની મુલાકાતે આવશે. ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ સંતોષ પણ સતત ચૂંટણીની વ્યુહરચના સંદર્ભે ઝીણવટભર્યા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી આયોજનો કરવામાં વ્યસ્ત છે.