આજે ગુજરાતભરમાં અલગ-અલગ જિલ્લાકક્ષાએ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ની ઉજવણી.
આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી
ગુજરાતમાં અલગ-અલગ જિલ્લા કક્ષાએ યોગ દિવસની ઉજવણી
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કર્યા યોગ
આજે 21 જૂનના રોજ સમગ્ર દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં અલગ-અલગ 27 જેટલાં સ્થળોએ યોગા કરવામાં આવશે. આજે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, વડીલો, મહિલાઓ સહિત અંદાજે 1.5 કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા છે. ત્યારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો છે. જ્યાં CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગાસન કર્યા.
આ કાર્યક્રમમાં 10 હજાર જેટલાં નાગરિકો જોડાયા છે. અમદાવાદમાં 44 ગાર્ડનમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના સફેદ રણ ધોરડો ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યાં છે તો વડોદરામાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં છે. ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં છે તો મહેસાણામાં જિલ્લાના યોગ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં છે. જ્યારે ગાંધીનગર ખાતે યોગ કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યાં.
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગાસન કર્યા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 21, 2022
રાજકોટમાં પૂર્વ CM રૂપાણીએ યોગ કર્યા
રાજકોટના RKC ગ્રાઉન્ડમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે પૂર્વ CM રૂપાણી, સાંસદ રામ મોકરિયા અને કલેક્ટરે યોગાસન કર્યા. VVIP સાથે અન્ય લોકો પણ યોગ દિવસના કાર્યક્રમમાં સામેલ થયા.
સુરત મનપા દ્વારા એરપોર્ટ રોડ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી
સુરતમાં મનપા દ્વારા એરપોર્ટ રોડ પર કરાઇ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. મેયર અને સાંસદ સહિતના લોકોએ કાર્યક્રમમાં યોગા કર્યા. શહેરમાં અન્ય 49 સ્થળોએ પણ આયોજન કરાયું.
વડોદરાના સમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
વડોદરાના સમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી, કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ શરૂ, સાંસદ, મેયર, કમિશનર અને શહેર ભાજપ પ્રમુખ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ. સ્થળ : સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ https://t.co/g93qfxLXpP
- 21 જૂનના વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
- 2015થી વિશ્વ યોગ દિવસની શરુઆત કરવામાં આવી
- યુનાઇટેડ નેશન્સ 2015માં વિશ્વ યોગ દિવસની જાહેરાત કરી
- 2014માં પ્રાધનમંત્રી મોદીએ યુએનની જનરલ એસેમ્બલીમાં માગ કરી હતી
- યુએનએ આ માંગ સ્વિકારીને યોગ દિવસની સત્તાવાર જાહેરાત કરી
- 11 ડિસેમ્બર 2014ના રોજ યુએનમાં ભારતે પ્રસ્તાવ મુક્યો હતો
- યુએનમાં ભારતના પ્રતિનિધિએ પ્રસ્તાવ મુક્યો હતો
- વિશ્વના 177 દેશએ ભારતના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો
- યોગનો પ્રસ્તાવ સૌથી વધારે દેશનું અનુમોદન મેળવનાર પ્રસ્તાવમાં ગણાય છે
- 15 જૂન 2015ના રોજ પહેલી વાર વિશ્વ યોગ દિવસ ઉજવાયો
- આજે વિશ્વના મોટા ભાગના દેશમાં યોગની ઉજવણી થાયછ છે
- વિશ્વના અનેક મુસ્લિમ દેશમાં પણ યોગ દિવસ ઉજવાય છે
- નદી, તળાવ, પર્વત, દરિયામાં જઇને લોકો યોગ દિવસની ઉજવણી કરે છે
- વિશ્વના તમામ ધર્મ અને ધર્મ ગુરુઓએ યોગની મહીમા સ્વિકારી છે
યોગ અને ભારતિય સંસ્કૃતિ
- યોગ ભારતની સંસ્કૃતિક ધરોહર છે
- સદીઓથી ભારતમાં યોગ દ્રારા સાધના-ઉપાસના થાય છે
- ઋષિમુનીઓ અને રાજા મહારાજા યોગ શક્તિના ઉપાસક હતા
- ભારતનાં પ્રથમ યોગી પુરુષ શિવજીને માનવામા આવે છે
- યોગ મુદ્રામાં અનેક જગ્યાએ ભગવાન શિવની પ્રતિમાં પણ છે
- ઋષિ પતંજલિને યોગના કર્ણધાર માનવામાં આવે છે
- મહાભરત પહેલાં ઋષિ પતંજલિ થઇ ગયા છે
- હિન્દુ, બૌધ, જૈન ધર્મમાં યોગનું ખાસ મહત્વ છે
- રામ, કૃષ્ણ, અર્જૂને પણ યોગ સાધના કરેલી છે
- ભગવાન બુદ્ધે યોગ સાધનાથી દૈવી શક્તિ પ્રાપ્ત કરી હતી
- ભગવાન મહાવીર પણ યોગના ઉપાસક હતા
- યોગથી અનેક દુઃખ અને દર્દનું સમાધાન આવ્યું છે
- આદિ શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી યોગના ઉપસક હતા
- રામકૃષ્ણ પરમહંસએ પણ યોગથી સાધના શક્તિ મેળવી હતી
યોગ માટે 21 જૂનની જ પસંદગી શા માટે?
- યોગ દિવસની પસંદગી કરવાનું ખાસ કારણ પણ છે
- 21 જૂન નોર્થ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે
- વિશ્વના મોટા ભાગના દેશ ઉત્તર ગોળાર્ધમાં આવેલા છે
- આ સમય દરમિયાન સુર્ય દક્ષિણાયન તરફ આગળ વધે છે
- લાંબાને કારણે તે દિવસે ઇનર શક્તિનો વિકાસ પણ થાય
યોગાભ્યાસના લાભ
યોગ મટાડે રોગ
માનસિક શાંતિ મળે છે
શરીર-ચુસ્તિલું-સ્ફૂરતિલું બને છે
સ્થિતિસ્થાપકતા વધે છે
જટિલ રોગ થતાં અટકે છે,રોગ હોય તો દૂર થાય છે
રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે
મન અંતરમુખી બને છે
યોગથી દવાઓ લેવાથી મુક્તિ મળે છે
આડ અસર થતી નથી
ખુબ ખર્ચ થતો નથી
વધારે પડતો અભ્યાસ ન કરવો