મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે તો તમામ શુભ ફળ મળે છે પણ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ.
હનુમાનજીના ભક્તો માટે મંગળવારનો દિવસ ખાસ
મંગળવારના દિવસે મહાબલી હનુમાનની પૂજા કરવાથી વિશેષ લાભ મળે
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભૂલથી પણ મંગળવારના દિવસે આ કામ ન કરો
આપણા હિંદુ ધર્મમાં દરેક દેવી-દેવતાનું વિશેષ મહત્વ છે પણ એમાંથી સૌથી વધુ ભક્ત હનુમાનજીના છે. એમ માનવામાં આવે છે કે જે લોકો સાચા દિલથી હનુમાનજીની પૂજા કરે છે એમને બજરંગબલીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સાથે જ જીવનમાં આવેલ દરેક સમસ્યાથી મુક્તિ મળે છે. હનુમાનજીના ભક્તો માટે મંગળવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે મહાબલી હનુમાનની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.
એવું માનવામાં આવે છે કે જો આ દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે તો તમામ શુભ ફળ મળે છે પણ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભૂલથી પણ મંગળવારના દિવસે આ કામ ન કરવા જોઈએ.
-હનુમાનજીને ભૂલથી પણ દૂધથી બનેલી મીઠાઈઓ ન ચઢાવવી જોઈએ, તેનાથી બંજરબલી ગુસ્સે થાય છે. જો કે મંગળવારે હનુમાનજીને બુંદી, વેસણના લાડુ ચઢાવવા જોઈએ કારણકે આ ભગવાનને ખૂબ પ્રિય છે.
-મંગળવારે માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. મંગળવારના દિવસે તેમના સેવન પર પ્રતિબંધ છે. તેનું સેવન કરવાથી તમારે તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
-જો તમે મંગળવારે બજરંગબલીનું વ્રત રાખ્યું છે તો ભૂલથી પણ એ દિવસે મીઠાનું સેવન ન કરવું જોઈએ.
-આ સાથે જ મંગળવારના દિવસે કોઈને ઉધાર પૈસા ન આપવા જોઈએ કારણ કે આ દિવસે આપેલ પૈસા પાછા આવતા નથી. એટલા મમાટે આ દિવસે ખૂબ જ સમજી વિચારીને જ કોઈને પૈસા આપવા જોઈએ.
-મંગળવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સાથે જ આ દિવસે પ્રણય સંબંધો ન કરવા જોઈએ. તેની પાછળની માન્યતા છે કે હનુમાનજીએ જીવનભર બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું.
-આ સાથે જ મંગળવારના દિવસે પશ્ચિમ અને ઉત્તર દિશામાં યાત્રા ન કરવી જોઈએ.એવામાં જો આ દિવસે તમારે યાત્રા કરવી ફરજિયાત છે તો પણ ગોળ ખાધા પછી જ એ દિશામાં યાત્રા કરવા ઘરની બહાર નીકળો.
-ઉપરાંત આ દિવસે શુક્ર અને શનિ સંબંધિત કોઈપણ કાર્ય ન કરવું જોઈએ.
-ખાસ જણાવી દઈએ કે આ દિવસે લાલ કે કેસરી રંગના કપડાં પણ પહેરવા જોઈએ. ધ્યાન રાખો કે આ દિવસે કાળા કે વાદળી રંગના કપડા બિલકુલ ન પહેરો.
-માન્યતા છે કે મંગળવારના દિવસે આપણે નખ કાપવા જોઈએ, ન તો વાળ કાપવા જોઈએ.
-સાથે જ આ દિવસે ધ્યાનમાં રાખો કે કોઈની સાથે વાદ-વિવાદમાં ન પડવું જોઈએ.